Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 206
________________ - 176 આશયને જળના કણવડે પુરી દેતી (એવી અમૃતની લહેરે) અમૃતના કિરણ જેવી, પીંગળા રંગવાળા દ્રાક્ષના તકતામાં સ્થિરપણું પામી. 7. જ્યાં, શારદા, બ્રહ્મના તેજે કળિયુગની દૃષ્ટિને દુર્લક્ષપણું પમાડવાથી (એટલે કળિયુગની દૃષ્ટિએ નથી પડતું) અને જે વિશ્વાસનું પાત્ર છે ત્યાં વિદ્યાને બધે વૈભવ મુકીને શિવજીના ગુરૂ એવા પર્વતના નિર્જન સ્થાનમાં નક્કી તે (શારદા) તમામ તાપ શાંત થયાથી તપ તપે છે. 8. બે (વિતસ્તાન) તીરમાં રહેલા ઘરના સમૂહમાં ગેખમાં રહેલાં અને સ્વતંત્ર ક્રીડામાં ઉછળતાં સ્ત્રી પુરૂષના જેડાંના ટુટેલા હારથી ભરાઈ ગએલી, શિવજીથી ઉત્પન્ન થએલી એ કુળ નદી (વિતસ્તા) જે (પુર)ના ખેળામાં રહેતી થકી તે તારાના તિલકવાળા આકાશના સંગવાળી ગંગાની બરાબરી કરે છે. જ્યાં વિતસ્તા નદી સ્નાન ક્રીડાનાં વ્યસન વખતે સ્ત્રીઓના સ્તન ભાગમાંથી કેસર ઉતારીને પ્રિયને બાથમાં લેતી થકી (સ્ત્રીને જોઈને ) નિરવધિ ઇર્ષ્યા અને ક્રોધથી જાણે લેહેરરૂપી હાથવડે એ સ્ત્રીના ભ્રમરના જેવા કાળા વાળ ક્ષણ ક્ષણ પ્રત્યે ખેંચતી હોય ? જે (પુર)માં શ્રીમ ૬ભટ્ટારક મઠપુર પાસેના ભાગની સ્ત્રીઓના કટાક્ષની છટામાં કોઈ જાતની મનહર શોભા ક્રુરી રહી છે. જે (શભા=લક્ષ્મી) શંકા વગર કાનના કમળનો તિરસ્કાર કરવાને પ્રવૃત્ત થએલી તે કાંઈક સુગંધી માટે મળેલા ભ્રમરના કોલાહલે ભાંગી પડી. * 11. - જે પુરમાં શિથિલ નહી એવી ચપળ ભ્રમરવાળી (સ્ત્રીઓ) ની કાંઈક લીલાને લીધે સ્નેહમય ઉઘાડેલી એવી સ્ત્રીઓની દષ્ટિ કેમ સહન કરી શકાય. ત્રાસને લીધે આકુળ થએલી હરિણીના જેવી ભાંગી જાય એવી જે સ્ત્રીઓના ખોળામાં બેઠેલે કામદેવ કાંઈક પણ ચાંપલાઈ કરે છે. (1) 12. - જે (પુર )ની, ભમતા ભ્રમરના સમૂહવડે કાળાં થઈ ગયેલાં ક્રીડાનાં વૃક્ષો જેનાં છે એવી બાગોની ઘાડી સ્થિતિ કોઈ તરેહની છે કે જે સ્ત્રીઓ શિવજીના વધી ગએલા ક્રોધની જવાળાના કુમળા પાંદડામાં સુઈ ગએલા કામને દૃષ્ટિવડે ઉઠાડે છે. " 10, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221