Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ : અપાર વીરના વ્રતનો પાર પામેલા જેને શત્રુઓ નિરંતર સામા થતા જ નથી ત્યારે જે રણમાં ધનુષ ચડાવી રાખેલે એવો જ રહે છે તેની સામે યશ આવીને ઉભો છે. " 85. - જેણે લડાઈના ઉત્સવમાં ગર્વ મુકીને દેવતાઓના પુરને યશન છેગાવાળું કરતાં ઇકે પિતાના હાથે પારિજાતની માળા પહેરાવી તે ધારણ તેનાથી “આહવામā” નામને જેનું ત્રિજ્યામલ એવું બીજું નામ છે ' તે થયો જેનું ભંડલા (તરવારના મંડળને આગલો ભાગ) ધારાના જળમાંથી નિકળેલી જળમાનુષી હોય શું એમ લક્ષ્મી છેડતી નથી. 87. - જેને આખ્યાયિકાઓની સીમમાં, અભુત કથાઓમાં, સબંધમાં, અને દશ રૂપકમાં, પવિત્ર ચારિત્રને લીધે બીજે રામ છે એમ કહીએ પ્રતિપાદિત કર્યો છે. - 88. કુવાની પેઠે રાજાઓને પણ ખાલી કરી નાંખીને પરબની પેઠે જેણે પિતાની વિરશ્રીવડે સુધારસનાં પાત્ર દિશાનાં મુખને કરી મુક્યાં. 89. - રાજાઓમાં તિલકરૂપ જે રાજાની તરવાર અતિ ઘણો શત્રુઓને પ્રતાપ પી જઈને આંસુના જળ સાથે ડોળીને ચેળ દેશની સ્ત્રીઓના કપિલ સ્થળમાં રહેલું ચંદન પી ગઈ.. જેની તરવાર દીવા અને પ્રતાપ રૂપી અગ્નિ પાસે હોવાથી જાણે તરસ લાગી હોય એમ પરમાર રાજાની કીર્તિની ધારા જેવી ઉદાર એવી ધારાનગરીને કોળી કરી ગઈ. 91. અગાધ પાણીમાં બુડી ગયેલા ભૂભૂત (રાજાઓ અને પર્વત)ના કુટુંબવાળું છે છતાં જેનું ખરું ભાગ્ય ક્ષય થવાને લીધે માળવાની એક ધારાને છોડી દેવાને સમર્થ ન થયું. 92. નિઃશેષ રાજહંસ (લક્ષ્મી અને રાજા) જેના બાળક મેઘના સરખા કાળા ખડગે કહાડી મુક્યા ત્યારે ભેજ રાજાના ભુજ રૂપી પાંજરામાંથી જેણે 1 नाटकं सप्रकरणं भाणः प्रहसनं डिमः // व्यायोग समवाकारी વીમા યાત્રા (ઇ. સ.) . Jun Gun Aaradhak Trust