Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ 168, ' સેનાના ગોખની ઉંચી પૃથ્વીમાં રહેલા એના પુત્ર આનંદ આપે છે. પિતાના વિમાનની શંકાવડે જાણે આવીને રહ્યા હોય એવા વિદ્યાધરના બાળકો જાણે હોય? 10. ' હું નિત્ય રાજાઓને પ્રાણ સમાન છું અને આ રાજા તે મને તૃણ સમાન જાણે છે એમ જાણે ખેદ સહિત કહેવાને સારું યાચકેના કાન ઉપર સુવર્ણ સ્થાન કર્યું છે. 11. રાજાના સુવર્ણના સુંદર આભૂષણની કાંતિની પંક્તિના સંગને લીધે પીંગળી કાંતિવાળા થઈ ગએલા યાચકોને તે જાણે બળતા હોય એવું ધારીને પોતે આણી કેર તેણી કોરથી બળી જવાની વ્હીકથી દરિદ્રાવસ્થાએ (તેઓને સંગ મુકી દીધો). 12. - આ રાજા જ્યારે દાન આપતો ત્યારે, માથે રહેલાં દેવળ પડી જવાની વ્હીકથી, આ મને ખંડિત કરવાને ઉદ્ધતાઈ નહિ કરે એમ નક્કી (માની) મેરૂ પર્વત ત્યાં નિર્ભય (થઈને) રહે. અહીં આવ્યો (તે) ખંડનજ પામીશ એ સારૂ મેરૂ પર્વતને ભાગી જવાનું કહી ઘો એટલા સારૂ જાણે દેશાંતરમાં ગએલા યાચકેને કાને રાજાનું સોનું લાગ્યું છે. 14. એ રાજાએ વિષ્ણુનું મંદિર નિરંતરને માટે ઉંચું કરાવ્યું. તે જાણે પૃથ્વી મંડળના પેટાળમાંથી કળિયુગને કાપવા સારૂ ધર્મને ભુજ બહાર નીક હોય એમ શોભે છે. 15. જે મંદિરને મુકીને આકાશમાં જનારા સૂર્યને બે ગુણ જોવામાં આવે છે. એક વિષ્ણુનું ઉલ્લંઘન કર્યું ન ગણાય અને બીજું તેના ઘેડાની પંકિત અટકી પડે નહીં. આ દાનવોની છાતી ફાડવા સારૂ સિંહપણું પામ્યો છે એ રીતે જાણે વિષ્ણુથી હીતે થકે જ્યાં કલિકાળરૂપી હાથી સ્થિતિ ધરી શકતો નથી. 17. જાણું છું. કે જ્યાં નારાયણના નાભિ કમળને ભ્રમરના સમૂહ પામી શકતા નથી પણ કાળા અગરના ધૂપની સમૃદ્ધિ સરખા જે (મંદિર) વડે રાત્રિ દિવસ તેઓ (ભ્રમરે) નીકળે છે. 18, 13. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust