Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ - એ (રાજા)ના યાદલોએ કાંચી (પુરી) લૂંટી લીધી તેથી જેમાં દેવા. લયની ધ્વજની પટ્ટીઓ માત્ર બાકી રહી તે લૂટારાઓએ બધી વસ્ત્રનો ઠાઠમાઠ લૂટી લેવાથી પુત્રીઓને લંગાટી વાળવાની કૃપણુતા માટે જાણે (હાય). 76. અહી ભગાડેલા રાજાઓને દળી નાંખવાની જે કીડા તેથી ઉઠેલે જે શબ્દ તે, મેઘની ગર્જનાને અનુસરનારા ધનુષના શબ્દો વડે (મિશ્રિત થઈને) જગતને કંપાવી રહ્યા હતા ત્યારે રાવણનાં માથાં કાપ્યા છતાં પણ જેને કેધ શાંત નથી પડે એવા રામચંદ્રની પુનરાવૃત્તિ અકાલિક કંપમાં બાપડી લંકાના લોકેએ માની. ઈતિશ્રી ત્રિભુવન મલદેવ વિદ્યાપતિ કાશ્મીરક ભટ્ટ બિહણના કરેલા , વિક્રમાંકદેવચરિત મહાકાવ્યના આચાર્ય વલ્લભજી હરિદત્તકૃત ગુજરાતી ગદ્ય ભાષાંતરમાં ત્રીજો સર્ગ સમાપ્ત થયો. સર્ગ 4 થે. રાજપુત્ર કાર્ય થકી યુવરાજપણમાં રહેલો તે નિષ્કપટ વીર એવા તેણે કામદેવની પેઠે દિવિજય કર્યો. - તેના હાથીઓએ કેરલ દેશની સ્ત્રીઓના ગુંચવાઇ ગએલ વાળરૂપી વેલની સાથે મલયવૃક્ષ લીલા માત્રમાં ભાંગી નાંખ્યા. 2. તેના મદવાળા હાથીઓએ મલયને જ્યારે વૃક્ષણ કરી મુક્યો ત્યારે હું માનું છું કે ચંદનના વાયુને ન મટાડી શકાય એવો દુકાળ પડ્યો. 3. મલયાચળ ચંદનમાંથી ટપકેલા પીણને મશે તે જાણે પરોક્ષ થઈ ગયાં હાય (મરી ગયાં હેય) નહિ એમ તેના પિંડ મુકે છે. 4. ઘાટા ચંદનના ઝરવાથી (તે રૂ૫) ગારાવાળાં થયેલાં મસ્તકવાળા તેના હાથીએ જરા વાર સમુદ્રમાં પેઠેલા તેથી તેમના વડવાનળને તાપ શાંત કર્યો. વવાનળથી તપેલા સમુદ્રમાં ચંદનના ઝરવાથી સુવાસિત થયેલી મેલ P.P. Ac. Gunratnasuri M.S. Jur? Gun Aaradhak Trust