Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ ' 133 સર્ગ 13 મે. જગતને તપાવનાર (ગ્રીષ્મ) પ્રતાપને ઉંચાઈએ રહડાવીને દેહની ભસ્મવડે જાણે કૃત કૃત્યતા દેખાડતું હોય એમ યશ દાખવીને પોતાનું પરાક્રમ બતાવવાથી પાછો હક્યો (બંધ કર્યું.) 1. તીર્ણપણું કરીને, દિવસે ગણ્યા, અને તેણે (હ) પ્રતાપની હાનિ થવાથી પ્રેમાળપણું ધારણ કર્યું. પરને તાપ કરવાનેજ પરાયણ થએલા (પુરૂષ) અભ્યદયનું સ્થાન ક્યાંથી થાય. દાવાનળથી બાળેલા વનની ભસ્મથી પર્વત પીંગળી કાંતિવાળા શોભે છે, તે જાણે ખોળામાં રહેલાં બાળક વૃક્ષોના ક્ષય થવાથી વૈરાગ્ય વશ થઈને તપસ્વિપણાને પામ્યા હોય ? તપાટ થકી પ્રાપ્ત થએલી કૃશતાની સંપત્તિવડે નદીઓના નિતંબ ભાગમાંથી નીકળી પડેલી જાણે મેખળા કેમ હોય એમ અસ્પષ્ટ ઉચ્ચાર કરતી નાનકડા હંસની પંક્તિઓ શોભે છે. આખી પૃથ્વીમાંને રસ પીને અતિ ધીંગાપણું જાણે ધારણ કર્યું હોય તેથી તેવા સૂર્યના ભારે જાણે ઘોડા હળવે હળવે ચાલતા હોય તેથી અનુક્રમે દિવસે લાંબા થયા છે. 5. અતિ લાંબું થઈ પડેલું કૃશત્વ પામેલી બીજી (નદીયો) ચાલવાને એક પગલું ભરી શકતી નથી. માત્ર સમુદ્રના આલિંગનને ઉત્સવ હેમાચળમાંથી નીકળેલી નદીઓજ મેળવી શકે છે. ઉત્તર ભૂમિની નદીઓ હિમાલયમાંથી ઝરતાં ઝરણુંનું પાણી પોતાની સાથે લેતી ચાલે છે. તે જાણે અનેક નદીઓના વિયોગથી તપેલા સમુદ્રને શીતોપચાર કરવા સારૂ લઈ જતી હોય. નદીઓ જેની કૃશતા સ્પષ્ટ જણાય છે અને પરિતાપે કરીને સંકચાઈ જતી પંક સહિત કમલિનીનાં પાંદડાંના ચિહ્નથી વર્તતી એવી થઈ છે. તે જાણે સમુદ્રના સમાગમને લાભ મળતો નથી તેથી તે વિયેગને ગ્ય એવી દશા ભગવે છે. 1 દૂબળાપણું Gunratnasuri M.S. [8.. Jun Gun Aaradhak Trust