Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ 43. હંસની પંક્તિ માનસરોવરને તિરસ્કાર કરીને ક્રેચ પર્વતની ગુફાના દ્વારવડે નીકળેલી તે દૃઢ નિશાન પાડનાર પરશુરામના યશની પંક્તિ હોય એવી દેખાય છે. 39, પતિઓ પ્રતિક્ષણ વ્યાકુળ છતાં પ્રિયના સમાગમને ઉત્સવ પામેલી વ્યભિચારિણીઓ ત્યાં કુંકાના પ્રકાશ સરખા દિવસોને સુખમય માને છે. 40. " હે ચંદ્ર તું ! મૃગ ધારણ કરે છે તથાપિ ઇદ્ર ધનુષની પ્રત્યંચાના સપાટામાં આવ્યો નથી. (નીશાન થયો નથી) અને હીમને ઢગલે છતાં વીજળીની ગરમીથી ગળી ગયા નથી એ હોટું કૌતુક છે. 41. વરસાદના ગારામાં પડવાથી ગારાવાળી થયેલી ચંદ્રિકાને કોણે જોઈ છે? કહે, કયો કઠેર હદયવાળો વિયોગીના વધના પાપથી પણ નથી હોત. 42. ( હે ચંદ્ર) શા માટે ભુલ ખાય છે, કોઈને નિરંતર સુખ નથી, સમૃ. . દ્ધિઓ સ્વભાવથી જ નાશ થનારી છે. તને રાહુ આંબળાની પેઠે કેટલેક દિવસે મહેલમાં કરી લેશે. તારું હૃદય નિરંતરજ મેલું છે. ક્ષણ માત્ર સ્વચ્છતાને ગ્રહણ કરતું નથી. તે તારૂં ખળપણું છે કેમકે તે સર્વને તાપ કરનારા કામદેવ રૂપી રાજાને વહાલે છે. 44. એવી રીતે કામદેવના બાણના સંગથી સળગી ઉઠેલા પ્રિયના વિરહવાળી હરિણાક્ષીઓ, રાત્રિના આરંભમાં ચંદ્રિકાવડે જગતને નવરાવનાર ચંદ્રમાં પ્રત્યે બેલે છે. એવી રીતે કામદેવના હાથની મશાલ જાણે હોય એવી શર ઋતુની ચંદ્રમાની કિરણે છતાં એ રાજા નાનેરા ભાઈનું દુશ્ચરિત્ર વિચારતો કે સ્વચ્છતા પામતો નથી. તેની નિરંતર અપકીર્તિની વાર્તા વડે મનમાં અસ્વચ્છતા ધારણ કરતા થકાને સ્વચ્છ ચંદ્રમાવાળી શરદ પણ તેને પ્રસન્નતા આપી શકતી નથી. 47. કુંડળ રાજા કૃપાવશ થયાને લીધે તેને રાજ આપવાને પણ ઉત્સુક થયે. યશની ઈચ્છાવાળા પ્રસન્ન મનવાળા પુરૂષોને સમૃદ્ધિ સેંપી દેવામાં શો શ્રમ પડવાનું હતું ? 48. 46. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust