Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ ૧૬ર - આ મહારા શત્રુ સૂર્યની પ્રીતિપાત્ર છે એવા રોષથી જાણે હિમ પદ્મની વેલને બાળી નાખે છે. 14. પદ્મની વેલ સૂર્યની સમક્ષમાંયે પરાભવ પામે છે, તેજસ્વીઓ પણ કાળને વશ થએલા શું કરી શકે ? . - 15. * સામાન્ય સ્ત્રી (વેસ્યા) ના પણ અંગના સ્પર્શનું સૌભાગ્ય કામદેવનું પિષણ કરનારા હેમંતે વિસારી મેલ્યું. 16. વિહાર કરવાને યોગ્ય એવા એ દિવસોમાં ચુલુષ્યને ચક્રવર્તિ રાજા સિંહના જેવું ગમન કરનારા અને પિતાના ભુજવડે ભેળી કરેલી સમૃદ્ધિવાળો તે મૃગયા કરવા નીકળ્યો. 17. રણમાં એકવીર એવો તે મેઘના જેવા કાળા બખતરવડે નીલકમળની ગુફાને છોડી દેનારા કામદેવની શોભાને ધારણ કરતે હો. 18. - એ રાજા કાળા અક્ષરની ઉપર રહેલા હારવડે શોભે છે તે મેઘ અને નક્ષત્ર ગણે સહિત આકાશના આગલા ભાગથી જાણે કે વિદ્યાધર કેમ ઉતરી આવ્યો છે? 19. ભેળી આવેલી રાણીઓ, જેઓ ઉદાર એવા હારમાં પ્રતિબિંબિત થઈ છે તેઓ વડે જાણે તેના હૃદય ઉપર આઇસ્ત્રી લક્ષ્મી જાણે પિતાના પરિવાર ગણુ સહિત શોભતી હોય ? 20. તે હારાવળીનાં મોતીઓ સ્ફટિક જેવા ઉજળા વક્ષઃ સ્થળવડે ધારણ કરે છે તે જાણે ઉંચે રહેલા યશરૂપી વૃક્ષની કળીઓ કેમ પ્રતિબિંબિત થઈ હોય ? 21. આંખને ગમે એવો વિસ્તાર ધારણ કરનારા નીલા છત્રવડે તે શોભે છે તે લક્ષ્મીના કુળના ઘર એવા નીલ કમળના તક્તાવડે જાણે રાજહંસ શોભતે હેાય? 22. - તે પૃથ્વીતળને ધણી બે દિશામાં ફીણના જેવા ઉજળા ચામરવડે શોભે છે તે જાણે તમામ દિગંતર તાબે કરી લેનારા તેના બે ભુજાના યશ હેાય ? 23. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust