________________
ઉપદેશમાળા
નહીં એ પ્રમાણે ભોગ સંબંધી પચખાણ લીધું, તેમજ જીવ અજીવ આદિ તત્ત્વોની પણ જાણકાર થઈ.
આમ કોશા વેશ્યાને પ્રતિબોઘ પમાડી ચાતુર્માસ પૂર્ણ કરી સ્થલિભદ્ર મુનિ શ્રી સંભૂતિવિજય આચાર્ય પાસે આવ્યા. પેલા ત્રણ મુનિઓ સ્થૂલિભદ્રની પહેલાં આવ્યા હતા. ગુરુએ તે ત્રણેને “દુષ્કર કાર્ય કર્યું એમ એક વાર કહીને માન આપ્યું પરંત સ્થૂલિભદ્ર મુનિને “દુષ્કર કાર્ય કર્યું એમ ત્રણ વાર કહી ઘણા આદરપૂર્વક માન આપ્યું. તે જોઈ સિંહગુફાવાસી મુનિના મનમાં ઈર્ષા આવી–“ગુરુનો વિવેક તો જુઓ કે તેઓએ સુઘા ને તૃષાથી પીડાયેલા અમોને “દુષ્કર કર્યું એમ માત્ર એક વખત કહ્યું, અને ષટ્રસ ખાનાર તથા મોહ ઉપજાવે એવા સ્થાનમાં રહેનારને દુષ્કર દુષ્કર કર્યું એમ ત્રણ વખત કહ્યું.” એ પ્રમાણે તેણે મનમાં મત્સર ઘારણ કર્યો.
હવે એક દિવસ નંદ રાજાની આજ્ઞાથી કોઈ રથકાર કોશા વેશ્યાના મંદિરે આવ્યો. તેની બારીમાં રહીને તેણે બાણસંઘાન વિદ્યાથી આમ્રફલની લુંબ ત્યાં બેઠા બેઠા લઈ પોતાની કલા બતાવી, એટલે કોશાએ પણ પોતાના આંગણામાં સરસવનો ઢગલો કરાવી, તેના ઉપર સોય મૂકી તેના ઉપર એક પુષ્પ મૂકીને તેના ઉપર નૃત્ય કર્યું. તે જોઈ રથકાર ચમત્કાર પામી બોલ્યો કે “આ અતિ કઠિન કામ છે.' ત્યારે કોશાએ કહ્યું કેन दुक्करं अंबयतुंबतोडणं, न दुक्करं सरिसवनच्चियाणं । . तं दुक्करं तं च महाणुभावं, जं सो मुणी पमयवणम्मी वुच्छो ॥१॥
“આંબાની લંબ તોડવી તે દુષ્કર નહીં, તેમજ સરસવ ઉપર નાચવું તે પણ દુષ્કર નહીં; દુષ્કર તો એ છે કે જે તે મહાનુભાવ સ્થલિભદ્ર કર્યું અને પ્રમાદરૂપી અથવા અમદારૂપી વનમાં મોહ ન પામતાં શુદ્ધ રહ્યા.” गिरौ गुहायां विजने वनान्तरे, वासं श्रयन्तो वशिनः सहस्रशः । हर्येऽति रम्ये युवतीजनान्तिके, वशी स एकः शकटालनंदनः ॥२॥
પર્વતની ગુફામાં અને નિર્જન વનમાં નિવાસ કરીને ઇન્દ્રિયોને વશ રાખનારા હજારો છે, પણ અતિ રમ્ય હવેલીમાં અને સ્ત્રીજનની સમીપમાં રહીને ઇન્દ્રિયોને વશ રાખનાર તો તે શકપાલનંદન એક જ છે.” योऽग्नौ प्रविष्टोऽपि हि नैव दग्ध-श्छिन्नो न खड्गाग्रकृतप्रचारः । कृष्णाहिरंधेऽप्युषितो न दंष्ट्रो, नोक्तोअनागारनिवास्यहो यः॥३॥
“જે અગ્નિમાં પ્રવેશ કર્યા છતાં પણ બળેલ નથી, પગની ઘાર ઉપર ગતિ કરતાં છતાં છેદાયેલ નથી, કાળા સર્પના દર પાસે વાસ કરતાં છતાં જેને દંશ થયો નથી અને અંજનના ઘરમાં વાસ કર્યા છતાં પણ જેને ડાઘ લાગ્યો નથી એવાં તો તે સ્થૂલિભદ્ર એક જ છે.”