________________
૧૯૦
ઉપદેશમાળા
પામતો નથી.’ પછી તે દેવે રાજાનું ચિત્ત મંત્રી ઉપરથી ફેરવી નાંખ્યું. એટલે મંત્રી જ્યારે સભામાં આવ્યો ત્યારે રાજા પરાર્મુખ થઈને બેઠો, મંત્રીને દર્શન આપ્યું નહીં. તેથી તેતલીપુત્રે વિચાર્યું કે “રાજા મારા ઉપર રુષ્ટમાન થયા છે. કોઈ દુષ્ટ મારું છિદ્ર (દોષ) તેમને કહેલું જણાય છે. આમાં ખબર પડતી નથી કે રાજા મને શું કરશે ? અથવા ક્યા પ્રકારના મરણથી મને મારશે? તેથી આત્મઘાત કરીને મરવું એ વધારે સારું છે.’” એમ વિચારી ઘરે આવીને તેણે ગળામાં ફાંસો નાંખ્યો. દેવના માહાત્મ્યથી તે પાશ તૂટી ગયો. પછી વિષ ખાધું તે પણ અમૃત જેવું થઈ ગયું. ત્યારે તરવારથી પોતાનું મસ્તક કાપવાનો આરંભ કર્યો તો દેવે ખડ્ગની ઘાર બાંધી લીથી. વળી અગ્નિમાં પ્રવેશ કરવા તૈયાર થયો, તો અગ્નિ જળરૂપ થઈ ગયો. એ પ્રમાણે તેણે કરેલા મરણના બધા ઉપાયો તે દેવે વ્યર્થ કર્યા. પછી પ્રગટ થઈને પોટ્ટિલાદેવ બોલ્યો કે ‘આ સઘળું મેં કર્યું છે. તું શા માટે આત્મઘાત કરે છે? ચારિત્ર ગ્રહણ કર.' તે સાંભળીને તેતલીપુત્ર મંત્રીએ ચારિત્ર ગ્રહણ કર્યું. રાજા આવીને તેના પગમાં પડ્યો. ઘણો કાળ પૃથ્વીપર વિહાર કરી, ચૌદપૂર્વનો અભ્યાસ કરી, ઘાતીર્મનો ક્ષય થવાથી કેવળજ્ઞાન પામી, તેતલીપુત્ર મુનિ મોક્ષે ગયા.
विसयसुहरागवसओ, घोरो भाया वि भायरं हणइ । आहाविओ वहत्थं जह बाहुबलिस्स भरहवई ॥ १४७ ॥ અર્થ—“વિષયસુખના રાગને વશીભૂત થવાથી ઘોર એટલે શસ્ત્રાદિ ગ્રહણ કરેલા હોવાથી ભયંકર એવો ભાઈ પણ ભાઈને હણે છે. જેમ ભરતપતિ (ભરત ચક્રવર્તી) બાહુબલીના વધને માટે દોડ્યા હતા તેમ.” અર્થાત્ ભાઈનો સ્નેહ પણ કૃત્રિમ છે. આ દૃષ્ટાંત પ્રથમ આવી ગયેલ છે.
भजा वि इंदियविगार-दोसनडिया करे पइपावं । जह सो पएसिराया सूरियकंताइ तह वहिओ ॥ १४८ ॥ અર્થ—“ઇંદ્રિયોના વિકાર સંબંધી દોષથી વિડંબિત થયેલ ભાર્યા પણ પતિહિંસારૂપ (પતિને મારી નાખવારૂપ) પાપ કરે છે. જેમ પ્રદેશી રાજાને તેની સુરિકાંતા નામની રાણીએ વિષ દેવા વડે મારી નાંખ્યો, તેમ સમજવું.” અર્થાત્ સ્ત્રીનો સ્નેહ પણ કૃત્રિમ છે. આ સંબંધ પણ પૂર્વે આવી ગયેલ છે.
सासयसुक्खतरस्सी, नियअंगसमुब्भवेण पियपुत्तो ।
जह सो सेणियराया, कोणियरण्णा खयं नीओ ॥ १४९ ॥
અર્થ—“હવે પુત્રના સ્નેહનું પણ વ્યર્થપણું બતાવે છે. જેમ શાશ્વત સુખ મેળવવાને ઉત્સુક એવો શ્રેણિક રાજા જે ભગવંતનાં વચનમાં રક્ત અને ક્ષાયિક સમકિતથારી હતો તેને પોતાના અંગથી જ ઉત્પન્ન થયેલા અને પ્રિય એવા પુત્ર