________________
૨૦
પાસત્યાદિ લિંગઘારીનાં લક્ષણ
उंग्गाइ गाइ हसइ य, असंवुडो सइ करेइ कंदपं । - શિહિતિમ વિ ય, શો ગિgફ વા રૂ૭રૂાા
અર્થ-“અસંવૃત એટલે મુખને પહોળું કરીને મોટા શબ્દવડે ગાય છે અને હસે છે, હમેશાં કંદર્પ એટલે કામને ઉત્પન્ન કરે તેવી કથાઓ કરે છે, વળી તે ગૃહસ્થોના કાર્યની ચિંતા (વિચાર) કરે છે, તથા અવસન્ન (ભ્રષ્ટાચારી)ને વસ્ત્રાદિક આપે છે અથવા તેની પાસેથી ગ્રહણ કરે છે.”
धम्मकहाओ अहिजइ, घराघरं भमइ परिकहंतो अ।
गणणाइ पमाणेण य, अइरित्तं वहइ उवगरणं ॥३७४॥ અર્થ-“લોકના ચિત્તનું રંજન કરવા માટે ઘર્મકથાઓ કહે છે, અને તે ઘર્મકથાઓને કહેતો સતો ભિક્ષાને માટે ઘેર ઘેર અટન કરે છે, ભમે છે; તથા ગણના એટલે સાધુઓને ચૌદ અને સાધ્વીઓને પચીસ કલ્પક ચોલપટ્ટ વગેરે ઉપકરણોની ગણના સિંખ્યા) કહેલી છે, તથા દરેકનું પ્રમાણ કહેલું છે, તે સંખ્યા અને પ્રમાણથી અધિક ઉપકરણોને ઘારણ કરે છે, રાખે છે.”
बारस बारस तिन्नि य, काइयउच्चारकालभूमीओ।
अंतो बहिं च अहियासे, अणहियासे न पडिलेहे ॥३७५॥ અર્થ–“બાર લઘુનીતિની ભૂમિ, બાર વડીનીતિની ભૂમિ અને ત્રણ કાળગ્રહણને યોગ્ય ભૂમિ; એમ ઉપાશ્રયની અંદર અને બહાર મળીને સત્તાવીશ સ્પંડિલ ભૂમિઓ છે. તેમાં જો શક્તિ હોય તો દૂર જવું યોગ્ય છે, અને દૂર જવાની શક્તિ ન હોય, ખમી શકે તેમ ન હોય તો સમીપની ભૂમિ યોગ્ય છે. તેવી ભૂમિને પડિલેહે નહીં, ઉપયોગપૂર્વક જુએ નહીં તેને પાસત્કાદિક જાણવા.”
- गीयत्थं संविगं, आयरिअं मुयइ वलइ गच्छस्स । છે. ગુરુષો ય સપુછા, વિવિવિશિફવા રૂદ્દા.
' અર્થ–“ગીતાર્થ (સત્રાર્થના જાણનાર) અને સંવિગ્ન (મોક્ષાભિલાષી) એવા પોતાના ઘર્માચાર્યને કારણ વિના મૂકી દે છે, તજે છે; ગચ્છની સામો થાય છે એટલે સમુદાયને શિખામણ આપતા એવા આચાર્યની સામે ઉત્તર આપે છે–સામું બોલે છે; તથા ગુરુની આજ્ઞા વિના જે કાંઈ પણ વસ્તુ (વસ્ત્ર વગેરે) તે બીજાને આપે છે અથવા પોતે બીજા પાસેથી ગ્રહણ કરે છે.' .... गुरुपरिभोगं भुंजइ, सिञ्जासंथारउवगरणजायं ।
कित्तिय तुमं ति भासइ, अविणीओ गव्विओ लुद्धो ॥३७७॥ અર્થ-“ગુરુને ઉપભોગ કરવા લાયક એવી અથવા ગુરુ વાપરતા હોય તે શયા (શયનભૂમિ), સંસ્કારક (તૃણ વગેરેનો સંથારો) તથા કપડાં કાંબલી વગેરે