Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હ૮
ડી. જી. ક્રિયા
પૃછા કરે છે. સીતાની શોધમાં આગળ વધતાં માર્ગમાં જટાયુ મળે છે. રાવણ દ્વારા સીતાહરણના સમાચાર તે આપે છે. અહીં જટાયુના મરણને પ્રસંગ તાદશ અને ચિત્રાત્મક વણવા છે. કવિએ ભરતના નાટયની મર્યાદા ઉલંઘી રંગમંચ ઉપર મૃત્યુ બતાવ્યું છે. રામનું બેભાન થવું, રામના હૃદયની સરળતા અને સર્વ તરફ ઉત્કટ લાગણીનું દર્શન કરાવે છે. રામ આવેશમાં રહેલા પ્રસ્તને વિનવે છે. વિરાધ સીતાહરણ થયું હોવાનું જણાવે છે. ત્યારે રામ પિતાની જાતને પૌરુહીન માને છે. વિદ્યાધરે જણાવ્યું કે સીતાનું હરણ કરનાર રાવણ જ છે અને તેણે જટાયુને મરણતોલ ધાયલ કરેલ હતું. અંકને અંત મરમ સૂર્યાસ્ત વર્ણન સાથે થાય છે. જયી સૂર્યવંશ વર્ણન, સીતાહરણ અને સીતાની શોધનું સૂચન થયેલું છે.
ચોથા અ કના આરંભે કલકંઠ અને શુકનાશ નામના અનુયરેના સંવાદ દ્વારા રાવેણુના અનિચ્છનીય કૃત્ય બદલ તેમની નારાજગી અને સીતાની રાવણને તણખલાથી ય તુર ગણવાની વૃત્ત યવાય છે.૧૦ રાવણની કામદશાનું વર્ણન અર્લી શુંગારરસને આભાસ સજે છે, રાવણની કેટલીક ઉક્તિઓ હાસ્યજનક છે. એક સ્થળે તે કવિ જયોરમે' ને લાભ લઈ રાધવ ને લાધવ કહે છે. રાવણની સીતા માટેની ઉત્કટ પ્રણયભક્ષાથી સીતા ગુસ્સે થાય છે. અહીં કવિએ “દુધમવિલોપને ' શબ્દ પ્રયોગ મૂર્ખતા માટે કર્યો છે. રાવણનાં પરાક્રમે સીતાને આકર્ષી શકતા નથી.
પાંચમા અંકમાં મારીચ જણાવે છે કે લંકાને ઘેરી લેવામાં આવી છે. વિભીષણ અને મારીય સીતાને સોંપી દેવા માટે રાવણને સમજાવે છે પરંતુ તેમના પ્રયત્ન નિરર્થક સાબિત થાય છે. ત્યાં રામના દૂત તરીકે આવેલે ચંદ્રરાશિ રાવણને પિપટ બનાવી પાંજરામાં પૂરી સાત સમુદ્રમાં ફરે છે. રાવણની કાકૃતિઓ અને કેટલાક સંવાદો રાવણના વિભિન્ન ભાવ અને યુદ્ધની અધીરતાને સુંદર રીતે ચિત્રિત કરે છે.
fzfણ નથ૬, પિત્તમrfશનિ, વિમાનિ પ્રવ્રુરત: પ્રાળથતિ જેવાં રાવણનાં કટાક્ષપૂર્ણ વિધાને હાસ્ય નિષ્પન્ન કરી શકતાં નથી. આ અંકમાં ભંગારને રસાભાસ છે. મુખ્યરસ વીર જ રહે છે. અહીં હનુમાનને કવિએ ચંદ્રરાશિ તરીકે કયે છે. રામાયણમાં વાલિ રાવણને સાતેય સમુદ્રમાં ફેરવે છે. અહીં કવિએ પાંજરામાં પોપટ બનાવી રાવણને પૂરવાનું પરિવર્તન કરી હાસ્ય નિષ્પન્ન કરવા પ્રયત્ન કર્યો છે. ભાસે અભિષેકમાં અંગદદૂત પ્રસંગ નિરૂપે છે. એક જ લેક એકથી વધુ પાત્રોના મુખમાં મૂકી કવિએ ભાવવૈવિધ્ય પ્રગટ કર્યું છે. સમગ્ર અંક ખૂબ જ રસપ્રદ છે.
निष्पन्दतां वपुरुपैति यथा समन्तात् पक्षौ यथा स शिखरप्रणयानपेक्षौ । आलिङ्गति क्षितिमियं च यथा शिरोधि
ને તથા જ્ઞાન જતા ટાય છે (એજન ૩/૧૫) सीता तृणायापि रावणं नाभिमन्दते ।। स्वतो न कश्चन गुरुर्लधुर्वापि न कश्चन । કfજતાકવિતાજારવ રવતાવે (એજન ૪/૩).
For Private and Personal Use Only