Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાસમતાપવિલાસનાક, પુરાવસ્તુવિદ્યાની નજરે
દેવા–
પાવાગઢની અધિષ્ઠાત્રી કાલકા છે. પીઠ નિર્ણયમાં આ તીર્થની અધિષ્ઠાત્રી સાથે નકુલીશ oોરવ છે. અને શક્તિની દક્ષ પાદાંગુલિ અહીં પડેલી હોવાથી આ તીર્થનું માહાત્મ્ય છે. એ કાલીકાદેવીની પ્રાર્થનાથી નાટકને પ્રારંભ થાય છે. અને કાલીકામાતાનાં નવરાત્ર ઉત્સવ વખતે આ નાટક ભજવાયું હતું તેને પ્રથમ અંકમાં ઉલ્લેખ છે. આ ઉલલેખ પરથી માતાના મંદિરના મંડપ અને તેની આજુબાજ એકત્ર થયેલા દરબારીઓની સભામાં આ નાટયપ્રયોગ થયે હતો.
પ્રથમ અંકમાં માતાની સેવાની પદ્ધતિનાં વર્ણને, બીજા અંકમાં ઘડેસવાર થઈને મંદિરે આવતા રાજાનાં વર્ણનમાં મંદિર પાસેના ભૈરવનું વર્ણન તથા ગિનીચનું વર્ણન પણ દેવીની ઉપાસનાનાં અંગ છે. અહીં મુખ્યત્વે દેવી યંત્ર છે. અહીં જે દેવીની રાજા પ્રાર્થના કરે છે તેમાં દેવીનાં દંડલિની સ્વરૂપનું ગપ્રક્રિયાનું વર્ણન તથા દેવીની આખ્યાયિકાનું લેકબદ્ધ વર્ણન છે.
દેવીની ઉપાસના રાજકુલમાં થતી હતી. મહારાણા પ્રતાપદેવીની મહાકાલીની ઉપાસનાનું વર્ણન ત્રીજા અંકનું મહત્વનું અંગ છે.
ચોથા અંકમાં ચંપારણ્યના વિઘણનાં વર્ણનમાં ગંડકીમાંથી મળતી શાલીગ્રામ શિલાનું વર્ણન કર્યું છે તેમાં કોઈ કીડો ચક્ર બનાવે છે, એ કથન શાલીગ્રામ શિલા એમનાઈટ નામના કડાના અસ્મીભૂત અવશેષો હોવાનું સિદ્ધ કરે છે. દિલ્લીની ગિનીપુરની માહિતીમાંથી વેગિનીની માહિતી પ્રાપ્ત થાય છે.
સાનમાં અંકમાં ગાશ, દુર્ગા, ૨, ક્ષેત્રપાલ અને જૈન દેરાસરના ઉલેખે પવાગઢ પરનાં દેવનાં સ્થાને સૂચવે છે. પાવાગઢ પર દિગંબરનું તીર્થ છે, અને હવેતાંબરે પણ તેને દાવો કરે છે.
નવમા અંકમાં કીર્તિ, અપકીર્તિનાં વર્ણને ગુણાનાં છે. તે મહરાજપરા જેવાં નાટકોમાં આવતાં ૨૫ક માત્ર છે. પરંતુ અષ્ટ શક્તિ, અને અન્ય દેવોનાં કાલીભવનનાં વર્ણનમાં આવતાં વર્ણન મુખ્યત્વે કાલીની મહત્તા દર્શાવે છે.
ભાષા
નાટકની મુખ્ય ભાષા સંરકૃત છે. તેની સાથે પ્રાકૃત તથા સંભવતઃ ગુજરી ભાષાના પ્રગો છે. ગુજરી બોલીના પ્રયોગો છઠ્ઠા અંકમાં પંદરમા અને સોળમા શ્લોકમાં તથા આઠમા અકમાં સાથા કલેકમાં હોવાનું લાગે છે. ગુજરીના ગે ભવાઈમાં તથા લાવણીમાં થયેલા દેખાય છે. તદુપરાંત પાતશાહ, સુરત્રાણ નિજામદી, ખદિર, અહમ્મદાબાદ જેવા ઘણા પ્રયોગોમાં ફારસી શબ્દો દેખાય છે. ફારસી ભાષાના ઘણા શબ્દ ગુજરી બોલીમાં પણ છે. ગુજરી ફારસી. ભાષાની પ્રચુર અસર નીચે વિકસી છે તે તરફ ગુજરાતના સાહિત્યકારોનું ધ્યાન ઓછું ખેંચાયું છે તે અનુચિત છે. પરંતુ ગંગદાસપ્રતાપવિલાસનાટક તત્કાલીન સમાજમાં પ્રચલિત ભાષા
For Private and Personal Use Only