Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
જતીન પડયા
રાજકીય આટાપાટાના ખેલેનું નિરૂપણુ ત્રણ નાટકોમાં ક્રમશઃ વધતું જતું જણાય છે. રાજકારણુ ઉપર પડેલા ગાંધી વિચારસરણીને પ્રભાવ પણ દેખાય છે.
પાત્રોના વનનું માનસશાસ્ત્રીય વિશ્લેષણુ પણ ત્રણૅય નાટકોમાં સભાનતાપૂર્વક થયેલું છે. નિષ્ફળતાને આરે ઊમેલા મેનકા, ક્રકય, ગેાશાલક, હાથ આવતાં આવતાં દર વખતે સરી જતા બ્રહ્મર્ષિપદના ઉત્કટ અભિલાષી વિશ્વામિત્ર, નિત્ય શાંત અને શુદ્ધ વસિષ્ટ અને અરુંધતી, સદા ખુશમજાજના દેવર્ષિ નારદ, સૌના વિચાર, વાણી અને વનમાં માનસશાસ્ત્રીય દષ્ટિબિંદુ દેખાય છે. શકર અને વર્ધમાનનાં ઘડાતાં જતાં દાર્શનિક મન્તવ્યેા, વિશ્વામિત્રના વર્તનનું વસિષ્ઠે કરેલું વિશ્લેષણુ, વિશ્વામિત્રના પ્રયે!જન અને મર્યાદાને સમજવામાં ઇન્દ્રે કરેલી ભૂલનું વિશ્લેષણ, મેનકાએ આપેલા નીવિ–મેક્ષતા ખુલાસા, ખુદ વિશ્વામિત્રે પરિવર્તનના તથ્યામાં કરેલું પોતાના મનના પ્રવાહાનું આંતરદર્શન, આ બધાં જ નિરૂપણામાં કર્તાને માનસશાસ્ત્ર સાથેના ગાઢ નાતા દષ્ટિગાચર થાય છે.
પરંતુ બધાં જ નાટકો ઉપર એક સાથે છવાઇ જતા પ્રભાવ તા તત્ત્વજ્ઞાનના જ છે. કોઇ પશુ સિદ્ધિ પુરુષાની અપેક્ષા રાખે જ છે. પરાવલ ખિતાથી આવી કોઈ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. એ માટે પેાતાના સ્વપુરુષાર્થ અને આત્મનિર્ભરતા અનિવાર્ય શરત છે. સમ્યક્ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કંઈ પણ કરવું અનુચિત નથી. કરુજ્જુા, ક્ષમાભાવ અને તિતિક્ષા મહાપદ માટેના અનિવાય ગુણા છે. અહંકાર અને ક્રોધના ત્યાગ વિના આવી સિદ્ધિ મળતી નથી, સત્ય અને સ` ઉપરા વિશ્વાસ બ્રહ્મર્ષિતી વિશષ્ટતા છે. સવજ્ઞાતા આચાર્યની વિશિષ્ટતા છે નિર્ભિક્તા મહાવીરની વિશિષ્ટતા છે. ત્રણેમાં રાગ દ્વેષથી પર થવું જરૂરી છે. આચાર્ય ત્વ, બ્રહ્મર્ષિત્વ કે મહાવીરત્વત્રણેનુ' ધ્યેય સ જનકલ્યાણનું જ છે. વિશ્વકલ્યાણની ભાવના જ તે ત્રણે માટે સર્વાપરી છે. સ જગતનું મૂળ એક જ છે. સમગ્ર ભારતીય દર્શનને સમન્વય આ ત્રણ નાટકોમાં થયેલા છે. તે એટલે સુધી કે જૈન અને વૈદિક દર્શીનને પણુ કર્તાએ અત્યંત નજીક મૂકી દીધાં છે. ત્રણે નાટકોમાં કવિનું તત્ત્વચિંતન અને સમાજદર્શોન વ્યવહાર અને તાત્ત્વિક ભૂમિકા ઉપર સમરસ નીતે વિહરે છે એ આ નાટકોની વિશિષ્ટતા છે. ભારતીય દર્શીનનું વર્તમાનયુગને અનુરૂપ સમુચિત અધટન આ ત્રણે નાટકોમાં રહેલું મહત્વનુ` સમાન તત્ત્વ છે.
સમાપનઃ
આમ સમગ્ર દષ્ટિએ જોતાં અર્વાચીન સસ્કૃત સાહિત્યમાં કર્તાનાં આ ત્રણે નાટકો વિશિષ્ટ સ્થાન ધરાવે છે. મહદંશે આ નાટકોની તખ્તાલાયકી પપ્પુ ઊંચી કક્ષાની છે. જો કે મન્નાગરનિળિમાં કેટલીક સમસ્યાઓને ઉકેલ દિગ્દશ કે કુશળતાપૂર્વક કરવા પડે તેમ છે એ સ્વીકારવુ રહ્યું, પરંતુ બાકીનાં એ નાટકો તેા ભજવણીની દષ્ટિએ કોઈપણ અર્વાચીન કૃતિને સમકક્ષ સા છે. સ`સ્કૃત સાહિત્યમાં પશુ તેના જોટા જડવા મુશ્કેલ છે. ગુજરાતના આ કવિનું સ`સ્કૃત રૂપક!ના ક્ષેત્રમાં અનન્ય પ્રદાન છે એમાં લેશમાત્ર શંકા નથી. તત્ત્વચિંતનને વિષય લઇ તે રચેલા એક જ કૉનાં આવાં રસમય ત્ર! ત્રશું ઉત્કૃષ્ટ સર્જનાને અર્વાચીન સ`સ્કૃત સાહિત્યમાં નેટા જડવા મુશ્કેલ છે.
For Private and Personal Use Only