Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨મણુન્નાલ પાઠક ૧૩ બ્રિજનનનન :-- ઉપરનાં બેની માફક આ પણું નામ માત્ર નાટક છે. નથી તે દૃશ્યવિધાન કે વસ્તુવિકાસ. ઋતાયન અને માતૃપ્રસાદ નામના બે મિત્રો અને ચંદ્રકલા નામની ભગિનીના મોદકભક્ષણ વખતનું સંવાદાત્મક નિરૂપણ છે.
૧૪ “f’:–૪-૭-૬૪ની રચનાતારીખના નિર્દેશવાળા પ્રસ્તુત નાનાશા નાટકમાં એક પણ દશ્ય નથી, માત્ર ત્રણ પાત્રો છે. નાટકના કિમ્ નામના પાત્રને મળવા આશ્રમમાં ફેબ્રુઆરી ૧૯૯૭ના અંતિમ સપ્તાહમાં પ્રયત્ન કર્યો પરંતુ યુવાવસ્થામાં પોતાના શિશુ અવસ્થાના પાત્રને ભૂલી જવાથી તેણે મારી સાથે શરમને સંકોચથી વાત કરવાનું ટાળ્યું. આખા આશ્રમમાં આ ભાઈ ‘કિમ્'ના નામે જાણીતા છે. નાટકની વસ્તુમાં મામા, ભાણેજ અને બંગની વચ્ચે સંવાદ છે. મામા પોતાની ભગિનીને ત્યાં જાય છે ત્યારે શરમથી માતાના સાળની સેડમાં સંતાઈ જવાની ભાણાની સહજ મુદ્રાથી નાટકને પ્રારંભ થાય છે ને મામા પાસેથી રમકડાં લેતા કિમની પ્રસન્નતાના નિરૂપણથી રચનાનું સમાપન થાય છે.
* ૧૫ રવ –કૈલાશધામે શિવપાર્વતીના પસન્મ સંવાદભર્યા આ નાટકની રચના તારીખ છે ૨૦-૯-૬૪. આમાં બે દશ્યો છે. પ્રથમ દશ્યને પ્રારંભ નંદીના શિવસ્તવન અને શિવજીના સ્વાગત કરવાના વિચારથી થાય છે. બીજા દશ્યમાં તપશ્ચર્યા પૂરી કરીને ઘેર આવેલા શિવજીને બંધ કારમાંથી જ પાર્વતી પ્રશ્ન પૂછે છે કે “ સ્વ' શિવજી પિતાને “રાણી ' કહે છે. પાર્વતી કહે છે પેટમાં શળ હોય તે ઔષધાલયે જાવ. શિવજી કહે છે હું ‘નીનrટ 'બ્રુ. પાર્વતી જણાવે છે નીલકંઠવાળા મયુર છે તે કેકારવ કરે. આમ પ્રશ્નોત્તરીમાં સમય વ્યતીત થતાં પાર્વતી ધાર ખેલીને હસતા મુખે વિશ્વનાથનું સ્વાગત કરે છે અને ગિની વગરે ગણે શિવતિગાન કરે છે.
वन्दे वन्दे पितरौ जगताम्
૩મામાદેશ વજે ! सर्वशक्तिमन्तौ सर्वज्ञौ
વિકૅર્વે જે છે ? .
' કરત્વમ' નાટકમાં જે ચેતનાબેન આયે પાર્વતીને પાત્રાભિનય કર્યો હતો તેમને મળતાં નાટકકાર પૂજાલાલની નાયકલા અંગે ઘણુ માહિતી મળી હતી. શ્લેષ, યમક અને અનુપ્રાસાલંકારવાળી આ સુંદર કૃતિ છે. શબ્દચાતુર્યભર્યું આવું એક અન્ય નાટક છે: 81सत्यभामीयम् ।
૧૬ ૩યાનનનન+:-નાનાશાં બે દશ્યમઢયું આ બાળનાટક રચનાતિથિ વિનાનું છે. તેમાં છંલા, પ્રભા, ચિંતન અને જપ નામના મિત્રો પ્રસન્નતાદાયક ઉદ્યાનમાં જાય છે. વસંત ઋતુમાં કોકિલાદિ પક્ષીઓને કલરવ સાંભળી આનંદાનુભવ કરે છે. પરમહંસ, આનંદવિહાર વગેરે નાટકોની માફક આમાં પણ સુંદર પ્રકૃતિવન કરવામાં આવ્યું છે.
૧૭ ઇનયજ્ઞોવીથ :--૪-૬-૬૮ની તારીખવાળા પણું દશ્ય વગરના આ નાનાં બાળનાટકમાં કૃષ્ણ અને વરશાદાના સહ-વાત્સલ્યભાવનું ચિત્રણ સુંદર રીતે કરવામાં આવ્યું છે.
For Private and Personal Use Only