Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શંખપરાભવવ્યાગ–એક અભ્યાસ*
શાશ્વતી સન*
પ્રસ્તાવના :
સંસ્કૃત ભાષામાં રચાયેલું સાહિત્ય બે વિભાગમાં વહેંચાયેલું છે. એક ગદ્યકાવ્ય અને બીજુ પદ્યકાવ્ય. એને એક બીજો મહત્ત્વને વિભાગ શ્રવ્યકાવ્યને છે જે સાંભળી શકાય છે, અને દુશ્મકાવ્ય કે જે આપણે જોઈ શકીએ છીએ એ નાટક માટે ખૂબ સામાન્ય છે એટલા માટે સંસ્કૃત રૂપકો જે દશ્યક તરીકે ઓળખાય છે એ દશ પ્રકામાં વહેચાયેલાં છે. જેમ કે નાટક, પ્રકાશ, અંક, ભાણ, સમવકાર, વીથી, પ્રહસન, ડીમ, ઈહામૃગ, વ્યાયામ વગેરે.
અહીં આપણે ફક્ત વ્યાયોગ વિશે વાત કરીશું. કારણ કે અભ્યાસને વિજય મહાન કવિ હરિહરનું “શંખપરાભવ થાયોગ 'એ કેન્દ્રસ્થાને છે. અહીં ભરત, ધનંજય, વિશ્વનાથ અને બીજા વિવેચકો વચ્ચે વ્યાયોગ વિશે જે મતમતાંતર પ્રવર્તે છે એમાં ઊંડા નહીં ઊતરતા ભાગના સામાન્ય લક્ષણો વિશે જોઈએ.
-
વાણ એક એકાંકી છે. એમાં એક જ દિવ સની ધટનાનું વિષયવસ્તુ હોય છે. એનું કથાવસ્તુ સામાન્ય રીતે પરાણિક વાત પર આધારિત, ઐતિહાસિક પ્રસંગને લગતું અથવા તો પ્રખ્યાત પ્રાચીન હોય, જેમાં ઉપનિષદોની વાતોનો પણ સમાવેશ થઈ શકે. યુદ્ધ અને મુખ્ય વિષય છે. જેમાં યુદ્ધ માત્ર સ્ત્રીના લીધે જ થાય એવું નથી. પરંતુ કોઈ ખાસ હેતુને ધ્યાનમાં લઈને યુદ્ધ કરવામાં આવે છે. ભાગને નાયક પ્રસિદ્ધ તેમજ ધીરાદાત્ત, બહાદૂર અને બળવાન હોય છે. એ રાજર્ષ અથવા તો દિવ્યપુરૂષ હોય છે. વ્યાયેગમાં કેન્દ્રસ્થાને યુદ્ધ હોવાથી તેમાં પુરુષપાત્રોનું પ્રાધાન્ય હોય છે. તેમાં ભાગ્યે જ સ્ત્રીપાત્રોને ઉલેખ આવે. પરંતુ ક્યારેક ગણુ પાત્રો, જેવા કે ચેટી વગેરે, જેને ઉલેખ નાયકની દાસી તરીકે ક્યારેક થતો હોય છે. આ કારણથી અમાત્ય, સેનાપતિ જેવા ઓજસ્વી પુરુષે વ્યાયોગના નાયક તરીકે હોય છે. પાત્રોની સંખ્યા દશથી વધુ ન હેવી જોઈ એ. ક્યારેક ક્યારેક એમાં હાસ્ય અને સંગારરસેને ઉલેખ અ૯૫પ્રમાણમાં થાય છે, આ પ્રકારના રૂપકમાં વીર, બીભત્સ, ભયાનક, રૌદ્ર અને કરુણુ વગેરે મુખ્ય રસ હોય છે. બાયોગની ભાષા જુસ્સાવાળી અને પ્રસંગને અનુરૂપ હોવી જરૂરી છે. પરિણામે અહીં ભારતી,
“બાધ્યાય ', પુસ્તક ૩૪, અંક ૧-૪, દીપાસવી, વસંતપંચમી, અક્ષયતૃતીયા અને જમાષ્ટમી અંક નવેમ્બર ૧૯૯૬--ઑગસ્ટ ૧૯૯૭, પૃ. ૧૪૯–૧૫૪.
+ આ નિબંધના અનુવાદ કરનાર છે. ઉષાબેન બ્રહ્મચારી તથા શ્રી જયંત ઉમંરેઠિયાને હું હૃદયપૂર્વક આભાર માનું છું.
* પ્રાયવિદ્યામંદિર, મ. સ. યુનિવર્સિટી, વડોદરા.
For Private and Personal Use Only