Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૩
મુકુંદ લાલજી વાડેર
કં. સ. ૧૧૬૦માં એગે જૈનધમ ના અંગીકાર કર્યા. પ્રસ્તુત માહરાજ પ્રથિ નાટકમાં આ જ કથાવસ્તુ રૂપકાત્મકરીતે કૃપાસુંદરી સાથે વિવાહ ગાડવી, માહરાજા ઉપર જય મેળવ્યાનું વધ્યું ન છે. શ્રાવકધમ ના 'ગીકાર કરતાં કુમારપાલે માંસ, મદ્ય, દ્યૂત પરદારા, ચૌ આણંદ ત્યાગના વ્રત લીધાં. રાજ્યમાં પ્રાણીઓની હિ ંસાની મનાઇ ફરમાવી, હવે એ પરમ-અર્હત અથવા પરમશ્રાવક પશુ બન્યા. અનેક શિવમ દિશા જહાર કર્યો. તમ૮ અનેક જૈનમંદિશ અને વિહારોની સ્થાપના કરી. શત્રુ ંજય, ગિરનાર વગેરે તીર્થાની તેમજ સૌરાષ્ટ્રના જૈનતીર્થાની પણુ સંધ કાઢીને યાત્રા કરી. કુમારપાલ અપુત્ર હોવાથી એના ભાઇ મહીપાલના પુત્ર અજયપાલ ગાદીએ આવ્યા. એણે ૧૧૭૨થી ૧૧૭રું સુધી રાજ્ય કર્યું.... ‘ ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક જેતિહાસ ' ( ભાગ ૪, સેાલ’કાકાળ, પ્રા. આર. સી. પરીખ અને હ. ગં. શાસ્ત્રી, રોઝ ભો. જે. અધ્યયનસંશોધન વિદ્યાભવન અમદાવાદ, પૃ. ૫૯-૬૫)માં ઉપર મુજબના તિહાસ આપેલા છે, જે પ્રસ્તુત નાટક સાથે સંબંધિત છે
ઉપર મુજબના ઐતિહાસિક તથ્યા જેને ખ્યાતવૃત્ત કહી શકાય તેના કવિએ પોતાની કૃતિ માટે આધાર લીધા છે. બાકી અન્ય કથાવસ્તુ કવિની કલ્પનાશક્તિનું ઘાતક છે. પ્રો. નાન્દી સાહેબ (સંસ્કૃત નાટકોનો પરિચય-ડૉ. તપસ્વી નાન્દી, પૃ. ૩૯૫) આ નાટકને અરૂપકાત્મક માને છે. રાજા, વિદૂષક, અમાત્યા વગેરે કેટલાંક પાત્રોને છોડતા, મેહરાન્ત, એનું સૈન્ય, કૃપાસુ દરી વગેરે ઘણાં બધાં પાત્રો રૂપકાત્મક છે. આમ બન્નેય પ્રકારનાં તત્ત્વોને ભેળવીને કવિએ અરૂપકાત્મકનાટક રજૂ કર્યું છે.
રાજકીય સામોજિક અને આર્થિક સ્થિતિ
પ્રસ્તુત નાટકમાં તે સમયની રાજકીય, સામાજિક અને આર્થિક પરિસ્થિતિનું પણુ સારુ એવું ચિત્રળુ થયેલુ જોવા મળે છે.
રાજકીય સ્થિતિ-કુમારપાલ કુતુહલવશ થઇને ભૂમડળમાં કરતાં હતાં, ત્યારે ભાગ્યવશાત્ અને સામ્રાજ્યની પ્રાપ્તિ થઇ. સિદ્ધરાજના મૃત્યુ પછી શાકગ્રસ્ત પ્રશ્નને એન્ડ્રુ પ્રસન્ન કર્યા. કુમારપાલે ત્રિભુવનવિહાર અને ૩૨ ખીજા` રાજકીય દેવકુલા બધાવ્યાં. જૈનધર્મ ને સ્વીકાર કર્યા પહેલાં કરેલાં માંસભક્ષણુના પાપના પ્રાયશ્ચિતરૂપે આ મદિરા બધાવ્યાં. પેાતાના પરાક્રમથી એણે શાશ્વર રાજાને પરાજય કર્યાં. શાંભર રાજાને આશ્રિત ત્યાગભટ રાજકુમાર કુમારપાલ સામે યુદ્ધ માટે તૈયાર થયા. નાટકમાં દૂષ્ણાના હદપારને સમય ૧૨ વર્ષના બતાવ્યા છે, જેના પરથી જાણી શકાય કે કુમારપાલના મૃત્યુ પછી રાજ્ય પરને જૈનધર્માંના પ્રભાવ એ થતા ગયા. ચાવડાએના જ રાજભવનમાં ચાલુક્ય રાજાએ રહેતા હતા. મચન્દ્રાચાર્યનું નવું વ્યાકરણ સિદ્ધહેમશબ્દાનુશાસન ગુજરાતમાં ભણાવવામાં આવવા લાગ્યું. કુમારપાલ માટે હુમચન્દ્રાયાયે યોગશાસ્ત્રની અને વિંતિવીતરાગસ્તુતિઓની પણ રચના કરી હતી.
આર્થિક અને સામાજિક સ્થિતિ
રાજ્યમાં સારી એવી સમૃદ્ધિ હતી. રાજ્યમાં અનેક લક્ષાધીશ અને કોટ્યાધીશ ધનકો હતા. રાજાની જેમ એમની સુખસમૃદ્ધિ અને ભવ્યતા હતી. હાથીએ અને ધેડાએ તેઓ રાખતા
For Private and Personal Use Only