Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રની દેસાઈ
નિભ વીગવ્યાયાગની પ્રસ્તાવનામાં જણુાવ્યા પ્રમાણે રામચંદ્ર સો પ્રબન્ધના કર્યો કહેવાય છે, પરંતુ મોટાભાગના પ્રથા કાળની કરાલ ગર્તામાં લુપ્ત થઇ ગયાં છે. છતાં નાટયદર્પણુ અને દ્રાલ‘કાર ઉપરાંત ૧૧ જેટલાં રૂપકો અને ૧૫ સ્તવની ઉપલબ્ધ છે. એમણે રચેલાં રૂપક નલવિશ્વાસ, સત્યહરિશ્ચંદ્ર, કૌમુદમિત્રાન, નિયભીમળ્યાયેાગ, મલ્લિકામકર૬, રવિલાસ, યાદવામ્બુત, રાધવાયુય, વિલાસ વર્ગનું અવલોકન કરતાં સ્વાભાવિક જ ગામ આવે છે કે ઐતિહાસિક, શૃંગાર, વીરરસ પર ખાધારિત, નાટક, નાટિકા, પ્રકરણ, વ્યાસેત્ર ઇત્યાદિ ભિન્ન ભિન્ન પ્રકારના રૂપકોની એમણે રચના કરી છે. વનમાલા, હિણીમૃગાંક ઉપલધ નથી પરંતુ નારદમુમાં બેનાં ઉદાહરણા મળે છે. પ જૈનાચાર્ય હોવા છતાં સાહિત્ય પ્રત્યેના એમના સર્વાગી અભિગમ અહી વ્યક્ત થાય છે.
નિભયભીમવ્યાયોગ :
નિ યભીમવ્યાયોગ રામચંદ્રસૂરિ રચિત વ્યાયાગ પ્રકારનુ રૂપક છે. નિયમયોગનુ વ્યાયાગ તરીક મૂલ્યાંકન કરતાં પહેલાંરૂપકનુ` કથાનક, મૂળકથાનક અને રૂપકકારે કરેલા ફેરફારો અંગે અવલેકન કરવું આવશ્યક છે.
મૂળકથાનક :
સૌ પ્રથમ મૂળકથાનક વિષે વિચારીએ તેા ભાંડારકર ઇન્સ્ટીટયુટ દ્વારા પ્રકાશિત થયેલી મહાભારતની સમીક્ષિત આવૃત્તિમાં દિપ માં ૧૪૫થી ૧૫ર ાયમાં બકરાક્ષસના વધની કથા આવે છે. સક્ષેપમાં આ કથાના સાર આ પ્રમાણે છે,
વિદુરની મદદથી વારગૃાયતમાં લાક્ષાગૃહના ભોંયરામાંથી હેમખેમ બહાર નીકળી પાંડવે ગુપ્તવૈયે કરતા હતા. એ દરમ્યાન હિડિમ્બવધ બાદ, વ્યાસમુનિની અનુજ્ઞાથી પાંડવા એકચક્રાનગરીમાં આવ્યા અને બ્રાહ્મણુવેષે એક બ્રાહ્મણ પરિવારમાં આશ્રય લીધા. આ નગરીમાં નજીકના #રંગલમાં રહેતા બેંક નામના રાસનો ભયંકર ત્રાસ હતો. સમમ પ્રજાજનોના સર્વનાશ ન થાય, એ માટે નગરજનોએ દરરોજ એક એક વ્યકિતને કાસુરના આહાર માટે મેકલવાનું નક્કી કર્યું". ઉપરોક્ત બાહ્મણુના ઘરનો વારો આવ્યો ત્યારે ઘરમાં કરુ આક્રંદ વ્યાપી ગયું. વિગત ાણીને કુંતા બાહ્મણે આપેલા આશ્રયનુ ઋણ ચૂક્યવાના આશયથી ભીમને કાસુર પાસે મોકલે છે.
ગાડામાં અન્નના વિપુલ જથ્થો ભરીને ભીમ નિયત સ્થાને જાય છે. બકાસુર માટેનું અન્ન ભીમ પોતે જ આાગી જાય છે. ભીમના આ કૃત્યથી ક્રોધિત થયેલા બકાસુર સાથેના યુદ્ધમાં ભીમ ભક રાક્ષસનો વધ કરે છે. આ પ્રમાણે ભીમ કાળુ જ નહી પરંતુ સમપ્ર.એચ ાનગરીના નગરજનાને રાક્ષસેાના સોંકટમાંથી સદાકાળ માટે મુક્ત કરે . ચ્યા પ્રમાણેની કથા મહાભારતમાં છે.
૫ પડઘા શાંતિકુમાર, 'સાત રૂપર્ક અને મહાકાળ્યો ’, ભે. 1. સારહીય સંસ્કૃત સંસ્થાન, દિલ્હી, ૧૯૯૨, પૃ. ૩૦.
૬ The Mahabharata (text as contituted in its critical edition ), Vol. I; Bhandarkar Oriental Research Institute, Poona 1971 P. 201 to P. 209,
For Private and Personal Use Only