Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કી છે. જેવા
અંતિમ અંકને આરંભ સેવકના જીવન અને પાપીઓના દીર્ઘજીવનનાં વર્ણન સાથે થાય છે. નાટકના અંતે કવિ અદ્દભૂત રસને આશ્રય લે છે. રાવણની વીસ આંખનાં વિવિધ ભાવ અને રામ-રાવણ વચ્ચેનાં ઉમસંવાદ નોંધપાત્ર છે. પઢિારિક જીવામગદર્ય, વરસારમેય વગેરે રામપ્રયોજિત શબ્દો કે રાવણુ પ્રજત વજી મકાન વગેરે શબ્દો પરસ્પર અપશબ્દના ઘોતક છે. વિભીષણ યુદ્ધ અટકાવવા નિરર્થક પ્રવાસ કરે છે. કવિએ રામ-રાવણ બંનેને લાગુ પડે તેવાં પદ્યો દ્વારા યુદ્ધની નિરર્થકતા બતાવી છે. કારણ કે સીતા જીવિત ન રહે તે યુદ્ધ નિરર્થક છે. પણું પરસ્પર પડકારના અંતે ભયાનક યુદ્ધ થતાં લમણુને હાથે ચક્ર દ્વારા રાવણુ માર્યો જાય છે. આ ધટના વામાકિ રામાયણ કરતાં જુદી પડે છે.
નાટકના અંતે કવિ સીતા-રામનું મિલન સાધે છે. જાંબુવાન સર્વ દુઃખને અંત, સજજનેનું રક્ષણ, જનેને નાશ અને સર્વનું કલ્યાણ ઈચ્છી ધર્મનિટ વાતાવરણની અપેક્ષા વ્યક્ત કરે છે.
- કવની નાટયકલા, સ્વકલ્પત પ્રસંગે, સરળ કથાપ્રવાહ, રામાયણકાલીન પાત્રો સાથે નવાં પાત્રોનું સર્જન, સરળ, પ્રવાહી અને મધુર ભાષા વગેરે નાટકના પાઠક અને દર્શક-સહદયને પ્રભાવિત કરે છે. સમસ્ત નાટકમાંથી ફલિત થાય છે કે શ્રીમોહને કારણે રાવણ અને તેના સમસ્ત કુળને નાશ થાય છે. અને તેથી મનુષ્ય મેહથી મુક્ત થવું જોઈએ એવો જીવનસંદેશ આપતું, દાર્શનિક વિચારધારા ધરાવતું આ ઉત્તમકોટિનું નાટક ગુજરાતનાં સંસ્કૃત નાટકોમાં વિશેષ સ્થાનનું અધિકારી બને છે.
For Private and Personal Use Only