Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૮ ડીસેમ્બર ૧૯૪૦)
SIDDHACHKARA
(Regd. No. B. 3047.
સાચી શાંતિ અને તેના માર્ગો
છે
૦૦
જનસ્વભાવને ધારણ કરનારો કોઇપણ મનુષ્ય શાંતિને કિંમતી ગણ્યા આ સિવાય રહી શકતો નથી, તેમજ સ્થાને સ્થાને બોલતી વખતે શાંતિના છે
અગ્રપદને મંજુર કર્યા સિવાય પણ તેને ચાલતું નથી. જૈનજનતાની અપેક્ષાએ જે વિચારીએ તો જૈનજનતા અત્યંતર અને બાહ્ય બન્ને પ્રકારની શાંતિને
ઈચ્છનારી છે. અત્યંતર શાંતિ તેજ ગણાય કે જેનાથી જન્મ, જરા, મરણ, પ્ત રોગ, શોક, આધિ, વ્યાધિ, ઉપાધિ વગેરે ઉપતાપ કરનાર કર્મોનો સર્વથા પણ નાશ થાય અને તેથી આત્મીય સ્થિતિમાં તાપ કે તાપનું કારણ એક્ટ પણે પણ રહે નહિં. આજ કારણથી જૈનજનતાએ સમગ્ર કર્મ રહિત થનાર આત્માને છે માટે જેવા સિદ્ધ, બુદ્ધ અને મુક્ત શબ્દો વાપર્યા છે. તેવી જ રીતે નિર્વાણ
એટલે સર્વથા શાંતિને સૂચવનાર એવો પરિનિવૃત શબ્દ વાપરતાં સિધ્ધોને શા માટે જગા જગા પર નિબ્યુફે શબ્દ વાપર્યો છે. સર્વ વ્યાખ્યાકાર આ મહાત્માઓએ પણ તે પરિનિવૃત્ત શબ્દનો અર્થ સાંસારિક તાપથી રહિતપણાની
દશા પ્રાપ્ત થાય તે જ જણાવ્યો છે. એટલે સૂમદ્રષ્ટિથી વિચાર કરીએ હી તો સિદ્ધ, બુદ્ધ અને મુક્તદશા કરતાં પણ પરિનિવૃત્તદશાનું વિશેષ મહત્ત્વ ને શાસ્ત્રકારોએ જગા જગા પર સ્પષ્ટ કરેલું છે. અને એ જ પરિનિવૃત્તદશા માં લાવવા માટે જ જૈનધર્મની ઉપયોગિતા છે. અગર તે પરિનિવૃત્તદશા લાવવી છે તે જ જૈનધર્મનું ધ્યેય છે. કારણ કે સૃષ્ટિભરમાં કોઇપણ દર્શન સમગ્ર . 8 અશાંતિને કરનાર એવા કર્મોને માટે શત્રુ તરીકેનો વ્યવહાર
અનુસંધાન ટાઈટલ પાનું ૩ જુઓ
DOOO isis