Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
R
હe
૩૨૩ઃ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૦
(૨૪ જુલાઈ ૧૯૪૧ (ટાઈટલ પાન ૩ નું ચાલુ) છે. ઈશ્વરોને મુક્તિ પામ્યા પછી પણ અર્થાત્ પોતાના મુક્તોને મુક્તિ મળ્યા પછી પણ સંસારમાં આવવાનું છે રિક માને છે. જયારે ભગવાન જિનેશ્વર મહારાજને જે સિદ્ધદશા પ્રાપ્ત થાય છે, તે સિદ્ધદશામાંથી વિક
જન્માદિના ઉપદ્રવ, સિદ્ધપણાના પ્રતિપાતને, કોઇપણ પ્રકારના શારીરિક સંબંધથી થતા રોગને, ** પર કોઈપણ કાલે થવાનું માનતા નથી. એટલું જ નહિ પરંતુ તે મોક્ષ એવો માનવામાં આવેલો છે ? છે કે મુક્તિ દશા પામતી વખતે જે આત્મામાં ગુણ ધારણ કરેલા છે, અગર જે ગુણો આત્મામાં શાયિક ) હજ ભાવપણે થઈને રહેલા છે, તેમાંથી ગુણના એક લેશનો પણ ક્ષય થવાનો નથી અને તે ગુણ સંપૂર્ણ તક
અવ્યાબાધપણે રહેવાનો જ છે. એટલું જ નહિ પરંતુ ઈહલોકાદિ ગણાતા સાત ભયોમાં જે મરણ ? નામનો ભય જગતમાં વ્યાપકપણે રહેલો છે, તે મરણનો ભય પણ તે સિદ્ધદશા પામેલા ભગવાન જિનેશ્વર મહારાજાઓને હોતો નથી. અર્થાત્ તેઓશ્રીની સિદ્ધદશા અને તેના ગુણોનો સર્વકાળને છે માટે સ્થાયીભાવ જ છે. આ વસ્તુ જણાવવાને માટે સિદ્ધનું સ્વરૂપ વગેરે જણાવીને ભગવાન જિનેશ્વર મહારાજા દ્રવ્યસિદ્ધ રૂપે છતાં પણ તેમની પ્રાર્થનાસૂત્રમાં સ્તુતિ કરવામાં આવી છે.
ઉપર જણાવેલી હકીકત વિચારનારો મનુષ્ય સહેજે સમજી શકશે કે જૈનદર્શનકાર સંસારમાં Bર રહેલા કે સિદ્ધપણું પામેલા દરેક આત્માને કેવલજ્ઞાન સ્વરૂપ જ માને છે અને આજ કારણથી કે
છઘસ્થપણામાં વર્તતા સર્વ આત્માઓને કેવલજ્ઞાનને રોકનારા એવા કેવલજ્ઞાનાવરણીય કર્મથી આવરેલા માનવામાં આવે છે અને સમ્યગદર્શનાદિ દ્વારાએ જે આત્મા તે કેવલજ્ઞાનાવરણીયનો છે નાશ કરે, તે આત્મા કેવલજ્ઞાનને મેળવે છે એમ માને છે અને તે સ્વાભાવિક છે. જગતમાં મનુષ્યોને - જેમ દેખવાને માટે સ્વતંત્ર ચક્ષુઓનો ઉપયોગ હોય છે, છતાં કેટલાકને ચહ્યું અને દશ્યપદાર્થ છતાં
પણ ચશ્માની મદદથી દ્રશ્યપદાર્થનું ચક્ષુદ્રારાએ દેખવું બની શકે છે. એવી રીતે જૈનદર્શનની અપેક્ષાએ છેઆત્મા કેવલજ્ઞાન સ્વરૂપ છતાં પણ જયારે તે કેવલજ્ઞાનથી આવરિત હોય છે, ત્યારે તે આત્માને કિ ઈન્દ્રિય અને મન આદિ દ્વારાએ જ્ઞાન કરવું પડે છે. આજ કારણથી જૈનશાસ્ત્રકારોએ જ્ઞાનના * મતિજ્ઞાન શ્રુતજ્ઞાન અવધિજ્ઞાન મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન એવા પાંચ ભેદો પાડેલા છે. અર્થાત્ ઇન્દ્રિય અને મનદ્વારાએ જગતના સ્પર્શાદિક અને સ્વપ્નાદિક પદાર્થોનો બોધ જે પ્રગટ થાય. તેને
મતિજ્ઞાન તરીકે ગણવામાં આવે છે. જગતમાં પ્રસરતા ભાષાના શબ્દોને સાંભળીને તે ભાષાશબ્દથી છે જે તેના વાચ્યની સમજણ પ્રગટ થાય તેને શ્રુતજ્ઞાન કહેવામાં આવે છે. ઇન્દ્રિય અને મનની મદદ
* વગર પણ અંતર્મુહૂર્ત જેમ દીર્ધકાળ દૂર રહેલી પણ બાહ્ય વસ્તુને જણાવનારું જે જ્ઞાન થાય તેને Pર અવધિજ્ઞાન કહેવામાં આવે છે. જગતમાં વર્તતા વિચારવંત પ્રાણીઓના વિચારોને જ માત્ર જાણી કરી શકાય તેમાં ઈન્દ્રિય અને મનની જરૂર પડે, પરંતુ અંતર્મુહૂર્ત જેવા દીર્ઘ કાળે જ વિચારો જાણી હી શકાય, એવી સ્થિતિને મન:પર્યવજ્ઞાન કહેવામાં આવે છે. જગતમાં રૂપી કે અરૂપી ભૂત ભવિષ્ય વિકે વર્તમાન દૂર કે નિકટ દ્રવ્યરૂપ કે પર્યાયરૂપ કોઇપણ પદાર્થને બારીકમાં બારીક કાળ જે સમય છેર નામનો છે. તેવા દરેક સમયે જાણવા અને દેખવાનું સામર્થ્ય કેવલજ્ઞાનમાં હોય છે અને તેથી છે કે તે કેવલજ્ઞાનને ધારણ કરનારો સર્વદ્રવ્ય સર્વક્ષેત્ર સર્વકાળ અને સર્વભાવને જાણનારો ગણાય છે.
છે એવી રીતે જ્ઞાનના પાંચ વિભાગો જૈનશાસ્ત્રકારોએ જણાવેલા છે.
B
%
8
જા૨
છે.