Book Title: Shraddhvidhi Pprakaran
Author(s): Mafatlal Zaverchand Pandit
Publisher: Mafatlal Zaverchand Pandit

View full book text
Previous | Next

Page 21
________________ - ૨૧ ૧૩૧૦માં દીક્ષા વિ. સં. માં, ૧૩૨૧માં અને આચાર્યપદ વિ.સં. ૧૩૩૨માં થયું હતું. ગુરુ મહારાજે તેમને મંત્ર પુસ્તક આપવા માંડયું પણ તેમણે મારું શુદ્ધ ચારિત્ર તેજ મંત્ર પુસ્તક છે તેમ જણાવી ન લીધું. આથી ગુરૂએ મંત્ર પુસ્તકને જલશરણ કર્યું સેમપ્રભસૂરિએ તનત, ચલવિગેરે સ્તુતિઓ, ૨૯ યમક સ્તુતિ વિગેરે ગ્રંથ રચ્યા છે. એક વખત સોમપ્રભસૂરિ ભીમપલીમાં (ભીલડીયામાં) હતા ત્યારે તેમણે અગાઉથી જ્ઞાનબળે તેને ભંગ થશે તે જાણી લીધું હતું. તેમજ ચિત્તોડમાં બ્રાહ્મણની સભામાં જય મેળવ્યું હતું. વિ. સં. ૧૩૫૭માં તેમણે પોતાના શિષ્ય વિમલપ્રભને આચાર્યપદારૂઢ કર્યા. પરંતુ તે અલ્પઆયુષ્યવાળા નિવડ્યા. આ પછી તેમણે પરમાણંદ, પદ્ધતિલક અને સામતિલકને આચાર્યપદ ઉપર સ્થાપ્યા. પરંતુ તેમાંથી સંમતિલકસૂરિ એકજ દીર્ધાયુષી નિવડયા. આ સોમપ્રભસૂરિના સમય દરમિયાન યવનેએ ગુજરાતમાં પ્રવેશ કર્યો. ધર્મને મુશ્કેલીમાં મુકો. કુમારપાળ, વસ્તુપાળ, તેજપાળ વિગેરે મંત્રીશ્વરોએ બંધાવેલાં મંદિરે આફતમાં મુકયાં. સમશા ઓસવાળ. વિ. સં. ૧૩પ૬માં કરણઘેલાને નાગર પ્રધાન માધવ અલ્લાઉદીનને ગુજરાતના પાટણમાં લઈ આવે અને આ પછી ગુજરાતમાંથી હિદુરાજ્યને અંત આવ્યો. વિ. સં. ૧૩૫૬માં અલાઉદ્દીન ખીલજીના લશ્કરથી તેના ભાઈ ઉલગખાન તથા નસરતખાને ગુજરાતને કબજે લીધે. યવનેએ વિ સં. ૧૩૬૦માં ચિત્તોડ, વિ.સં. ૧૩૬૬-૬૮માં જાહેર લીધું. આમ ચારે બાજુ મુસ્લીમ રાજ્ય પ્રસર્યું. અલપખાન નામને ગુજરાતને સુબે પાટણમાં આપે. વિ. સં. ૧૩૬૯માં આબુમાં વિમળવસહી અને લુણિગ વસહીને પ્લે૨ોએ ભાંગી તેમજ વિ. સં. ૧૩૬૯ માં પરમ પાવન સિદ્ધાચળ ઉપર આદીશ્વરની પ્રતિમાને પણ ભાંગી. સમય એ આવી લાગ્યું કે બહાદુર ક્ષત્રિયે તલવાર પણ લઈ ન શકવા માંડયા. આ અરસામાં સમરસિંહ ઓસવાળ ઝળકયે. સમરસિંહ એસવાળના મૂળ પૂર્વજ તે સલક્ષણ પાલણપુરના વતની હતા. તેના પ્રપૌત્ર દેસળને સહજપાળ, સાહણ અને સમરસિંહનામે ત્રણ પુત્રો થયા. સહજપાળ દક્ષિણમાં, સાહણ ખંભાતમાં અને સમરસિંહ પાટણમાં રહ્યો. આ સમરસિંહ પાટણના સુબા અલપખાનને મૂખ્ય સેવક બન્યો. તેણે ક્યારે શત્રુંજયને ભંગ થયેલે સાંભળ્યો ત્યારે એને ખુબ લાગી આવ્યું. તેણે અલપખાન પાસે શત્રુંજયની આશાતનાની વાત કહી, અલપખાને તેને તેને જીર્ણોદ્ધાર કરવામાં મદદનીશ થવા વચન આપ્યું. સમરસિંહે આરાસણની ખાણના રવામિને પિતાને કરી સુંદર આરસ મેળવી ભવ્ય આદીશ્વર ભગવાનની પ્રતિમા ભરાવી. વિ. સં. ૧૩૭૧માં પિતાના પિતા દેસળને

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 ... 416