________________
રામ હેવાથી, અને વસિષ્ઠની સમજાવટથી છેવટે એમણે રામલક્ષ્મણને વિશ્વામિત્રના હાથમાં સોંપ્યા. વિશ્વામિત્રે તે ખરું જોતાં આ સહાય માગવામાં રઘુકુળ ઉપર ઉપકાર જ કર્યો હતે. ધનુર્વિદ્યા અને અસ્ત્રવિદ્યામાં વિશ્વામિત્ર નિપુણ હતા. એમણે બે ભાઈઓને પિતાની સર્વ યુદ્ધકળા શીખવી અને તેમને ઉત્તમ દ્ધા બનાવ્યા. એ વિદ્યાના બળથી રામલક્ષમણે વિશ્વામિત્રના શત્રુઓને નાશ કરી એમને યજ્ઞ નિર્વિઘ પાર પાડ્યો. યજ્ઞમાંથી પરવારી વિશ્વામિત્રે બેઉ કુમારેને પ્રવાસ કરાવવા માંડ્યો. અનેક પ્રાન્તમાં ફેરવી ત્યાંની જમીન, નદીઓ, ઉત્પત્તિ, પ્રજા, તેમના ઈતિહાસ અને રીતરિવાજ વગેરેનું એમણે બેઉ ભાઈઓને સારું જ્ઞાન આપ્યું. એમ ફરતાં ફરતાં તેઓ મિથિલાનગરીમાં આવી પહોંચ્યા. ત્યાંના નરેશ જનકનેર સીતા નામે એક કન્યા હતી. જનક પાસે એક મેટું શૈવ ધનુષ્ય હતું. એ ધનુષ્યને જે ચઢાવે તેને સીતા પરણાવવી એવી જનકે પ્રતિજ્ઞા કરેલી હતી. અનેક રાજાઓ એ પરીક્ષા આપવા આવી ગયા હતા, પણ ધનુષ્યને ઊંચકી ન શકવાથી લક્ઝાયમાન થઈને ચાલ્યા ગયા હતા. વિશ્વામિત્રના કહેવાથી જનકે એ ધનુષ્ય રામને દેખાડવા મંગાવ્યું. વિશ્વામિત્રની આજ્ઞાથી
૧. હાલના દરભંગા આગળ.
૨. જનક એ સીતાના પિતાનું નામ હતું એમ સામાન્ય સમજૂત છે. એ બરાબર નથી. જનક એ મિથિલાના રાજાઓની અટક જેવું માલૂમ પડે છે. જેમ હૈદરાબાદના નિઝામ, તેમ મિથિલાના જનક.
૩. જુઓ પાછળ નોંધ રજી.