Book Title: Ram ane Krishna
Author(s): Kishorlal Ghanshyamlal Mashruwala
Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 146
________________ રામકૃષ્ણ જેનારને માલુમ ન પડે અનેક વર્ષના નિકટ સહવાસથી જ એની પ્રતીતિ થાય. બીજાને તે એ નિષ્પક્ષપાતી, ન્યાયી, ધર્મપ્રિય, આંખને આંજી નાખે એવા તેજસ્વી અને કડક શાસ્તા જ લાગે. ઘણા શબ્દોથી કે લાડથી એ પિતાને પ્રેમ સામાન્ય રીતે વ્યક્ત કરે નહીં, રામ આનંદના આવેશથી અટ્ટહાસ્ય કરતા ક્વચિત જ સંભળાય, પણ પિતાનાં આશ્રિતજનના ન્યા... મનેરને પાર પાડીને તથા એમનાં સર્વ વિદ્યાને દૂર કરીને જ એ પિતાના પ્રેમની ખાતરી આપે. ૫. એટલું જ પરાક્રમ, એટલી જ પિતૃભક્તિ, ગુરુભક્તિ, દામ્પત્યપ્રેમ, કુટુંબપ્રેમ, ભવદયા, મિત્રત્વ અને એટલી જ - સત્યનિષ્ઠા, ધર્મપ્રિયતા તથા જીવનની પવિત્રતા કૃષ્ણચરિત્રનું હભ વિષે પૂજ્યતા છતાં શ્રીકૃષ્ણને જીવનયજ્ઞ એ એક કઠણ વ્રત નથી, પણ મંગલત્સવ છે – અથવા વ્રતેત્સવ છે. સુખમાં સ્વાથ્યને આનંદ છે, મથુરામાં ગેમતક ઉપર જરાસંધને હંફાવવાને લહાવે છે. દ્વારિકામાં વૈભવ છે, તે કુળમાં વાછડાં અને ગેપની સાથે રમત છે. કુરુક્ષેત્રમાં કૌરવોના નાશથી અસુરેને સંહાર થાય છે, તે પ્રભાસતીર્થમાં તે યાદવને સંહાર પણ એ જ છે. એકનો શેક કરવાની જરૂર નથી, તે બીજામાંયે શાંતિ ઢળવા દેવાની જરૂર નથી. ૧. વ્રત છતાં ઉત્સવ.

Loading...

Page Navigation
1 ... 144 145 146 147 148 149 150 151 152