Book Title: Ram ane Krishna
Author(s): Kishorlal Ghanshyamlal Mashruwala
Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 115
________________ તીખી અને શૂરાતન ભરેલી દલીલોથી ધ્રુતરાષ્ટ્ર, ભીષ્મ, દ્રોણ વગેરેને ઊધડે લેવા માંડ્યો. આની અસર સર્વે સભાજનો ઉપર થઈ. સવે દુઃશાસન પર ફિટકાર વરસાદ વરસાવવા લાગ્યા અને દ્રૌપદીની પ્રશંસા કરવા લાગ્યા. અંધ ધૃતરાદ્ધે આ એકી સાથે જ ઊઠેલા તિરસ્કાર અને ધન્યવાદનું કારણ પૂછ્યું. વિદુરે તેને વસ્તુસ્થિતિ સમજાવી. આથી દ્રૌપદી ઉપર પ્રસન્ન થઈ તેને એણે વર માગવા કહ્યું. દ્રૌપદીએ પિતાના પતિઓનો છુટકારો મા. ઘતરાષ્ટ્ર પાંડવોને દાસત્વમાંથી મુક્ત કર્યા અને વળી બીજે વર માગવા કહ્યું. દ્રૌપદીએ પતિનું રાજ્ય પાછું માગ્યું. ધૃતરાષ્ટ્રે તે પણ આપ્યું. ૪. યુધિષ્ઠિરે પિતાના બંધુઓ અને પત્ની સાથે ઈન્દ્રપ્રસ્થ જવા ઊપડ્યા. પણ ધરાષ્ટ્રના વરદાનથી દુર્યોધન , વગેરે સર્વે ચંડાળ-ચોકડીને પોતાની મહેનત ફરી જુગાર * બરબાદ ગયા જેવું લાગ્યું. એમણે યુધિષ્ઠિરને વળી એક વાર પાસા રમવા બેલાવવા ધ્રુતરાષ્ટ્રને વીનવ્યા. ચર્મચક્ષુ તથા પ્રજ્ઞાચક્ષુ બનેથી રહિત ડોસાએ પુત્રમેહને વશ થઈ પાછી એ આજ્ઞા પણ કાઢી. વળી પાછા જે હારે તે બાર વર્ષ વનવાસ અને એક વર્ષ અજ્ઞાતવાસ ભોગવે અને અજ્ઞાતવાસમાં પકડાઈ જાય છે એ જ પ્રમાણે શિક્ષા અનુભવે, એવી શરત કરી. શકુનિએ પાસે ફેંક્યો અને પાછા જી. થયું! બે ઘડીની રમતમાં ધર્મરાજાએ જુગારથી આખા જીવનની આસમાની – સુલતાની કરી બતાવી. ઇન્દ્રપ્રસ્થ જવા ઉપડેલા ભાઈઓ અને પત્ની વલ્કલ પહેરી

Loading...

Page Navigation
1 ... 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152