Book Title: Ram ane Krishna
Author(s): Kishorlal Ghanshyamlal Mashruwala
Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 121
________________ ૧૦૪ કૃષ્ણ બે બાજુનું સર્વ સૈન્યદળ નિહાળવા અજુનને રથ આગળ આવ્યા. શંખે ફૂંકાયા. અર્જુન બે બાજુની તપાસણી કરવા લાગ્યું. ત્યાં અને જોયું કે આ લડાઈમાં કેવળ સગાંવહાલાંઓ જ પરસ્પર લડે છે. આવા ભયંકર યુદ્ધનાં માઠાં પરિણામ તેની દૃષ્ટિ આગળ તરી આવ્યાં. એણે એમાં પ્રજાને નાશ, ક્ષાત્રવૃત્તિને લેપ અને આર્યોની અધગતિ સ્પષ્ટ જોઈ. આથી એને બહુ શોક થયો. એ લડાઈમાંથી નિવૃત્ત થવા તત્પર થયે. એને આ શેક કુસમયે, પિતાની ક્ષાત્રપ્રકૃતિમાં રહેલા બળવાન સંસ્કારની પૂર્ણ ઓળખાણ વિના અને સદઅસવિવેકના બળથી નહીં, પણ ક્ષણિક મેહથી ઉત્પન્ન થયેલે જાણી, કૃષ્ણ એને જ્ઞાનપદેશ આપે છે. જે ભાગમાં આ ચર્ચા થઈ છે તે ભગવદ્ગીતા. આ ઉપદેશથી અર્જુનને મોહ ઊતરી ગયે અને તે લડાઈ માટે સજ્જ થઈ ગયે. ૬. ગીતાનું રહસ્ય ટૂંકામાં સમજાવવું સહેલું નથી. લખાણ દ્વારા એ રહસ્ય જાણી શકાય જ એમ ખાતરી ગીતાપદેશ : જ નથી. જે વાચકને માટે આ જીવનચરિત્ર " જાયેલું છે તે એનું સર્વ રહસ્ય સમજી શકે એવી સાધારણ રીતે આશા રાખી શકાય નહીં. એમને એટલું જ કહી શકાય કે એ શાસ્ત્રનું સન્દુરુષ પાસેથી વારંવાર શ્રવણ કરવું, શ્રદ્ધાથી એનું વારંવાર મનન અને ૧. છતાં આ જ લેખકને લખેલો “ગીતામન્થન” નામને ગ્રંથ વાંચવા ભલામણ છે. -પ્રકાશક

Loading...

Page Navigation
1 ... 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152