________________
યુદ્ધકાણુહ આપ્યાં. શહેરમાં તરત જ સંદેશ મોકલી દીધું અને રામને આવકાર આપવા ધામધૂમ મચી. એ દિવસ અયોધ્યાના રાજ્યમાં દિવાળીને થયે. રાજા-પ્રજા, માતા-પુત્ર, સાસુ-વહુ, ભાઈ-ભાઈ, ગુરુ-શિષ્ય, પતિ-પત્ની અને નેહી-સ્નેહીઓને આજે મેળાપ થવાનું હતું. ચૌદ વર્ષ અપાર દુઃખ વેઠવ્યા પછી આનંદને દિવસ આવ્યે તેને મહત્સવ અવર્ણનીય થયા. “રાજા રામચંદ્રની જય” એવી ગર્જના જે તે દિવસે ઊઠી તે હજી સુધી શમી નથી. તે જ દિવસે ગુરુ વસિઠે રામચંદ્રને રાજ્યાભિષેક કર્યો. રામે સુગ્રીવ, વિભીષણ, જાંબુવાન, હનુમાન વગેરે સર્વે પણુઓને પુષ્કળ રત્નાલંકાર આપ્યાં. સીતાએ પિતાને મોતીનો હાર મારુતિના ગળામાં પહેરાવ્યું અને એને
યજયકાર કરાવ્યું. એના નૈષ્ઠિક બ્રહ્મચર્યના ફળરૂપ એનાં બળ, બુદ્ધિ, તેજ, પૈય, વિનય અને પરાક્રમથી જ સીતાને સ્વાતંત્ર્ય મળ્યું હતું. ત્યારથી રામ, લક્ષ્મણ અને સીતા સાથે હનુમાનનું નામ પણ અમર થયું.
૯. પછી શ્રી રામચંદ્ર એવી ઉત્તમ રીતે રાજ્ય કર્યું કે સર્વ પ્રજા સુખ અને આનંદમાં રહેવા લાગી. રામરાજ્યમાં એક પણ વિધવા સ્ત્રી નજરે પડતી નહતી. સર્પ કે રેગને ભય નહોતે. કોઈ માણસ બીજાને માલ ચેરીથી કે અન્યાયથી લતે નહીં. એના રાજ્યમાં સર્વ પ્રકારના અનર્થો દૂર થયા. વૃદ્ધની પહેલાં જુવાન મરવાના અનિષ્ટ પ્રસંગે બંધ થયા. ધન, ધાન્ય, ફળ, ફૂલ અને બાળબચ્ચાંઓની વૃદ્ધિ થવા લાગી. આ પ્રમાણે આખા રાજ્યમાં