Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai
View full book text
________________
પૂર્વ ભૂમિકા
૧૩
તેમાં અહિક ઉપરાંત પારલૌકિક ભાગ સાધવાના નવનવા માર્ગો ચેાજાય છે.
પરંતુ, આ સકામ ધદષ્ટિ સમાજને વ્યાપી રહી હતી તેવામાં જ, એકાએક ધદષ્ટિનું વલણ બદલાતુ દેખાય છે. કાઈ તપસ્વી યા ઋષિને સૂઝયું કે આ બીજા લાકના સુખભોગે વાંછવા અને તે પણ પાતાપૂરતા અને બહુ બહુ તે પરિવાર યા જનપદપૂરતા, તેમ જ બીજા કરતાં વધારે ચડિયાતા, તે આ કાંઈ ધષ્ટિ કહેવાય નહિ. ધર્માંદૃષ્ટિમાં કામનાનું તત્ત્વ હોય તો તે એક અધૂરાપણું જ છે. આ વિચારમાંથી નવું પ્રસ્થાન શરૂ થયું અને એનેા જાદુ વ્યાપક બન્યા. ઈ. સ. પહેલાંના આર્ટસે કે હજાર વર્ષ જેટલા જૂના યુગમાં અકામ ધર્માંદૃષ્ટિના અનેક અખતરા થતા દેખાય છે. ઉપનિષદો એ જ ધર્મદૃષ્ટિતુ વિવરણ કરે છે. જૈન, બૌદ્ધ આદિ સધાના તો પાયેા જ એ દૃષ્ટિમાં છે. આ અકામ ધદૃષ્ટિ એ અન્તરાત્મદૃષ્ટિ યા ધવિકાસની બીજી ભૂમિકા છે. આમાં મનુષ્ય પ્રથમ પોતાની જાતને શુદ્ધ કરવાને પ્રયત્ન કરે છે અને સમગ્ર વિશ્વ સાથે તાદાત્મ્યભાવ કેળવવા મથે છે. આમાં અહિક અને પરલૌકિક એવા કાઈ સ્થૂલ ભાગની વાંચ્છાને આદર છે જ નહિ.
કુટુંબ અને સમાજમાં નિષ્કામતા સાધી ન શકાય, એ વિચારમાંથી એકાન્તવાસ અને અનગારભાવની વૃત્તિ બળ પડે છે. અને આવી વૃત્તિ એ જ જાણે નિષ્કામતા હોય યા વાસનાનિવૃત્તિ હોય એવી રીતે એની પ્રતિષ્ઠા જામે છે. કામતૃષ્ણાની નિવૃત્તિ યા શુદ્ધીકરણનુ સ્થાન મુખ્યપણે પ્રવૃત્તિત્યાગ જ લે છે; અને જાણે જીવન જીવવું એ એક પાપ કે શાપ હોય તેવી મનેત્તિ સમાજમાં પ્રવેશે છે. આવે વખતે વળી અકામ ધદષ્ટિનું સંસ્કરણ થાય છે. ઈશાવાસ્ય ઘેષણા કરે છેકે આખુ જગત આપણા જેવા ચૈતન્યથી ભરેલું છે, તેથી જ્યાં જશે! ત્યાં ખીજા પણ ભાગીએ તે છે જ. વસ્તુભાગ એ કાઈ મૂળગત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org