Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai
View full book text
________________
જૈનધર્મના પ્રાણ
મનુષ્ય કેવાય શક્તિશાળી કેમ ન હોય, પણ તે સ્થૂલમાંથી અર્થાત્ દ્રવ્યમાંથી સૂક્ષ્મમાં અર્થાત્ ભાવમાં પ્રગતિ કરે છે. ગ્રીસમાં શિલ્પ, સ્થાપત્ય, કાવ્ય, નાટક, તત્ત્વજ્ઞાન, ગણિત આદિ કળાઓ અને વિદ્યાએને એક કાળે અદ્ભુત વિકાસ થયેલા. એવે વખતે જ એક વ્યક્તિમાં અકળ રીતે ધષ્ટિ, માણસજાતને આંજી દે એટલા પ્રમાણમાં, વિકસી. એ સોક્રેટિસે કળાએ અને વિદ્યાએનુ મૂલ્ય જ ધર્માંદૃષ્ટિના ગજથી બદલી નાખ્યું અને એની એ ધદષ્ટિ આજે તે ચેમેર
સત્કારાય છે.
૧૨
યહોવાહે મૂસાને આદેશ આપ્યા ત્યારે એ માત્ર યહૂદી લોકોના સ્થૂલ ઉદ્ધાર પૂરતા હતા અને બીજી સમકાલીન જાતિએને એમાં વિનાશ પણ સૂચવાતા હતા. પરંતુ એ જ જાતિમાં ઈસુ ખ્રિસ્ત પાકશો અને ધર્માંદૃષ્ટિએ જુદું જ રૂપ લીધું. ઈસુએ ધર્માંની બધી જ આજ્ઞાએને અંદર અને બહારથી શેાધી તેમ જ દેશ-કાળના ભેદ વિના સત્ર લાગુ કરી શકવા જેવી ઉદાત્ત બનાવી. આ બધા પહેલાં પણ ઈરાનમાં જરથ્રુસ્ર નવું દર્શન આપેલું, જે અવેસ્તામાં જીવિત છે. અંદરાઅંદર લડી મરતા અને જાતજાતના વહેમના ભાગ થયેલા આરબ કખીલાને સાંધવાની અને કાંઈક વહેમમુક્ત કરવાની ધર્માંદૃષ્ટિ મહંમદ પેગંબરમાં વિકસી.
પરંતુ ધદષ્ટિના વિકાસ અને ઊર્ધ્વીકરણની મુખ્ય કથા । મારે ભારતીય પરંપરાને અવલખી દર્શાવવાની છે. વેદોનાં ઉષસ, વરુણુ અને ઇન્દ્ર આદિ સૂક્તામાં કવિની સૌ દષ્ટિ, પરાક્રમ પ્રત્યેના અહોભાવ અને કાઈ દિવ્ય શક્તિ પ્રત્યેની ભક્તિ જેવાં મગળ તત્ત્વ વાંચીએ છીએ, પણ એ કવિએની ધર્માંદૃષ્ટિ મુખ્યપણે સકામ છે. તેથી જ તે દિવ્ય શક્તિ પાસેથી પાતાની, પેાતાના કુટુંબની અને પશુ આદિ પરિવારની આબાદીની માગણી કરે છે અને બહુ બહુ તે લાંખું જીવન પ્રાથે છે. સકામતાની આ ભૂમિકા બ્રાહ્મણુકાળમાં વિકસે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org