Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai
View full book text
________________
૧૧
જીવ અને પંચ પરમેષ્ઠી પરમેષ્ઠીને અર્થ
પ્રશ્ન : પરમેષ્ટી કેને કહે છે ?
ઉત્તર : જે જીવ પરમ અર્થાત ઉત્કૃષ્ટ સ્વરૂપમાં સમભાવમાં છિન્ન” એટલે અવસ્થિત છે, તેઓ જ પરમેષ્ટી કહેવાય છે.
પ્રશ્ન : પરમેષ્ટી અને એમનાથી જુદા જીવો વચ્ચે શો ફેર છે ?
ઉત્તર : ફેર આધ્યાત્મિક વિકાસના હેવા અને ન હોવાને છે. જેઓએ આધ્યાત્મિક વિકાસ સાધ્યો છે અને નિર્મળ આત્મશક્તિ મેળવી છે તે પરમેષ્ટી ગણાય છે. અને જેઓની આત્મશક્તિમાં મેલ છે તે એમનાથી જુદા છે.
પ્રશ્ન : જેઓ અત્યારે પરમેષ્ઠી નથી, શું તેઓ પણ સાધને દ્વારા આત્માને નિર્મળ કરીને એવા થઈ શકે છે?
ઉત્તર : જરૂર.
પ્રશ્ન : તે પછી જેઓ પરમેષ્ઠી નથી અને જેઓ પરમેષ્ઠી બન્યા છે, એ બન્ને વચ્ચે શક્તિની અપેક્ષાએ શું ફરક સમજવો ?
ઉત્તર : કંઈ નહીં. ફરક ફક્ત શક્તિઓના પ્રગટ થવા અને નહીં થવાનું છે. એકમાં આત્મશક્તિઓનું વિશુદ્ધ સ્વરૂપે પ્રગટ થયું છે, બીજામાં એ પ્રગટ થયું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org