Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai
View full book text
________________
ચાર સંસ્થાઓ
૨૪૧
એવાં સંધમાલિકીનાં મંદિરોના નાનામોટા ભંડાર હોય છે. એ ભંડારોમાં નાણુનું ખાસું ભંડોળ હોય છે, જે દેવદ્રવ્ય કહેવાય છે. એમાં શંકા નથી કે આ દેવદ્રવ્ય એકઠું કરવામાં, તેની સારસંભાળ રાખવામાં અને તે ભરખાઈ ન જાય તે માટે ચાંપતા ઇલાજે લેવામાં જૈન સંઘે ખૂબ ચાતુરી અને ઈમાનદારી વાપરી છે. હિંદુસ્તાનમાંના બીજા કઈ સંપ્રદાયના દેવદ્રવ્યમાં જૈન સંપ્રદાયના દેવદ્રવ્ય જેટલી ચેખવટ તમે ભાગ્યે જ જોશે. એ જ રીતે દેવદ્રવ્ય એના ઉદ્દેશ સિવાય બીજે ક્યાંય ખર્ચાય નહિ, વેડફાય નહિ અને કોઈ એને પચાવી ન જાય એ માટે પણ જૈન સંઘે એક નૈતિક અને વ્યાવહારિક સુંદર વાતાવરણ ઊભું કર્યું છે. જાણવા જેવી બાબતે
તીર્થસંસ્થા સાથે મૂર્તિને, મંદિરનો, ભંડારને અને સંધ નીકળવાનો, એ ચાર ભારે મોરંજક અને મહત્ત્વના ઈતિહાસ છે. લાકડા, ધાતુ અને પથ્થરે મૂર્તિ અને મંદિરમાં કેવી કેવી રીતે, કયા કયા જમાનામાં, કે કેવો ભાગ ભજવ્ય, એક પછી બીજી અવસ્થા કેવી કેવી રીતે આવતી ગઈ, ભંડારોમાં અવ્યવસ્થા અને ગરબડ કેવી રીતે આવ્યાં અને તેની જગ્યાએ પાછી વ્યવસ્થા અને નિયંત્રણ કેવી રીતે શરૂ થયાં, નજીકનાં અને દૂરનાં તીર્થોમાં હજારો અને લાખો માણસના સંધે યાત્રાએ કેવી રીતે જતા અને એની સાથે એ શું શું કામ કરતા–એ બધો ઇતિહાસ ભારે જાણવા જેવો છે.
- ત્યાગ, શાંતિ અને વિવેક કેળવવાની પ્રેરણામાંથી જ આપણે તીર્થો ઊભાં કર્યા છે અને ત્યાં જવાનો તથા તેની પાછળ શક્તિ, સંપત્તિ અને સમય ખર્ચવાને આપણે ઉદ્દેશ પણ એ જ છે.
[ અચિં- ભા. ૧, પૃ. ૪૦૫-૪૦૮] [૪] જ્ઞાન સંસ્થા-જ્ઞાન ભંડાર જ્યાં માનવજાત છે ત્યાં જ્ઞાનને આદર સહજ હોય જ છે,
Jain Education International
FOT "
For Private & Personal Use Only
www.jainelibrary.org