Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai
View full book text
________________
૨૪૦
જૈનધર્મને પ્રાણ
હિંદુસ્તાન કે ઉત્તર હિંદુસ્તાન–જ્યાં જાઓ ત્યાં જેનાં પ્રધાન તીર્થો ટેકરીઓ અને પહાડોની ઉપર જ આવેલાં છે. માત્ર વેતાંબર સંપ્રદાય જ નહિ પણ દિગંબર સંપ્રદાય સુધ્ધાંની સ્થાન પરત્વે ખાસ પસંદગી પહાડની જ છે. જ્યાં શ્વેતાંબરોને જરા પણ સંબંધ નથી, અવરજવર નથી એવાં કેટલાક ખાસ દિગંબરોનાં તીર્થે દક્ષિણ હિંદુસ્તાનમાં છે, અને તે પણ પહાડી ભાગમાં આવેલાં છે. આ ઉપરથી એટલું જ ફલિત થાય છે કે તીર્થના પ્રાણભૂત સંતપુરુષોનું મન કેવાં કેવાં સ્થાનોમાં વધારે લાગતું, અને તેઓ કઈ જાતનાં સ્થાને પસંદ કરતા. વળી ભક્તવર્ગ હો કે મનુષ્યમાત્ર હો, તેમને એકાંત અને કુદરતી સુંદરતા કેવી ગમે છે એ પણ એ તીર્થસ્થાના વિકાસ ઉપરથી જાણી શકાય છે. ગમે તેટલું ભોગમય અને ધમાલિયું જીવન ગાળ્યા પછી પણ છેવટે, અથવા વચ્ચે વચ્ચે ક્યારેક ક્યારેક, માણસ આરામ અને આનંદ માટે કયાં અને કેવાં સ્થાન તરફ દૃષ્ટિ દોડાવે છે એ આપણે તીર્થસ્થાનની પસંદગી ઉપરથી જાણું શકીએ છીએ.
તીર્થોના વિકાસમાં મૂર્તિ પ્રચારનો વિકાસ છે અને મૂર્તિપ્રચારની સાથે જ મૂર્તિ નિર્માણકળા તેમ જ સ્થાપત્યકળા સંકળાયેલાં છે. આપણું દેશના સ્થાપત્યમાં જે વિશેષતાઓ અને જે મોહકતાઓ છે તે તીર્થસ્થાનો અને મૂર્તિપૂજાને જ મુખ્યપણે આભારી છે. ભેગસ્થાનમાં સ્થાપત્ય આવ્યું છે ખરું, પણ તેનું મૂળ ધર્મસ્થાને અને તીર્થસ્થાનમાં જ છે. દેવદ્રવ્યના રક્ષણની સુંદર વ્યવસ્થા
જેનેના તીર્થો એ કાંઈ બે-પાંચ કે દશ નથી પણ સેંકડોની સંખ્યામાં, અને તે પણ દેશના કોઈ એક જ ભાગમાં નહિ, પરંતુ
જ્યાં જાઓ ત્યાં ચારેતરફ મળી આવે છે. એ જ એક વખતના જૈન સમાજના વિસ્તારને પુરાવો છે. જૈન તીર્થોની ખાસ એક સંસ્થા જ છે. ઘરમંદિર અને તદન ખાનગી માલિકીનાં મંદિરને બાજુએ મૂકીએ તેપણુ જેના ઉપર નાનામોટા સંધની માલિકી હેય, દેખરેખ હેય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org