Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai

View full book text
Previous | Next

Page 278
________________ પર્યુષણ અને સંવત્સરી ૨૪૭ જાગૃતિ અને જીવનનું આંતરનિરીક્ષણ કરતા રહેવું, જેથી અજ્ઞાન કે નબળાઈને કારણે પ્રવેશ પામતા દેની ચેકી કરી શકાય અને આત્મપુરુષાર્થમાં એટ ન આવે. [દઅચિં૦ ભા ૧, પૃ૦ ૪૮૩-૮૪] સંવત્સરી મહત્ય સાંવત્સરિક પર્વ એ મહત્પર્વ છે. બીજા કોઈ પણ પર્વો કરતાં એ મહત્ત્વ છે. એની મહત્તા શેમાં છે એ જ સમજવાનું રહે છે. કોઈ પણ વ્યક્તિએ ખરી શાન્તિ અનુભવવી હોય, અગવડ કે સગવડ, આપદા કે સંપદામાં સ્વસ્થતા કેળવવી હોય અને વ્યક્તિત્વને ખંડિત ન થવા દેતાં તેનું આંતરિક અખંડપણું સાચવી રાખવું હોય તે એને એકમાત્ર અને મુખ્ય ઉપાય એ છે કે તે વ્યક્તિ પિતાની જીવનપ્રવૃત્તિના દરેક ક્ષેત્રનું બારીકીથી અવલોકન કરે. એ આતરિક અવલોકનને હેતુ એ જ રહે કે તેણે ક્યાં ક્યાં, કેવી કેવી રીતે, કેની કોની સાથે નાની કે મેટી ભૂલ કરી છે તે જોવું. જ્યારે કોઈ માણસ સાચા દિલથી નમ્રપણે પિતાની ભૂલ જોઈ લે છે ત્યારે તેને તે ભૂલ, ગમે તેટલી નાનામાં નાની હોય તોય, પહાડ જેવી મેટી લાગે છે અને તેને તે સહી શકતો નથી. પિતાની ભૂલ અને ખામીનું ભાન એ માણસને જાગો અને વિવેકી બનાવે છે. જાગૃતિ અને વિવેક માણસને બીજા સાથે સંબંધ કેમ રાખવા, કેમ કેળવવા એની સૂઝ પાડે છે. એ રીતે આન્તરિક અવલોકન માણસની ચેતનાને ખંડિત થતાં રોકે છે. આવું અવલોકન માત્ર ત્યાગી કે ફકીર માટે જ જરૂરી છે એમ નથી, પણ તે નાની કે મોટી ઉંમરના અને કઈ પણ ધંધા અને સંસ્થાના માનવી માટે સફળતાની દષ્ટિએ આવશ્યક છે, કેમ કે તે દ્વારા એ મનુષ્ય પોતાની ખામીઓ નિવારતાં નિવારતાં ઊંચે ચડે છે અને સૌનાં દિલને જીતી લે છે. આ એક સાંવત્સરિક પર્વના મહત્ત્વની મુખ્ય વ્યક્તિગત બાજુ થઈ. પરંતુ એ મહત્ત્વ સામુદાયિક દૃષ્ટિએ પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 276 277 278 279 280 281