SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ જીવ અને પંચ પરમેષ્ઠી પરમેષ્ઠીને અર્થ પ્રશ્ન : પરમેષ્ટી કેને કહે છે ? ઉત્તર : જે જીવ પરમ અર્થાત ઉત્કૃષ્ટ સ્વરૂપમાં સમભાવમાં છિન્ન” એટલે અવસ્થિત છે, તેઓ જ પરમેષ્ટી કહેવાય છે. પ્રશ્ન : પરમેષ્ટી અને એમનાથી જુદા જીવો વચ્ચે શો ફેર છે ? ઉત્તર : ફેર આધ્યાત્મિક વિકાસના હેવા અને ન હોવાને છે. જેઓએ આધ્યાત્મિક વિકાસ સાધ્યો છે અને નિર્મળ આત્મશક્તિ મેળવી છે તે પરમેષ્ટી ગણાય છે. અને જેઓની આત્મશક્તિમાં મેલ છે તે એમનાથી જુદા છે. પ્રશ્ન : જેઓ અત્યારે પરમેષ્ઠી નથી, શું તેઓ પણ સાધને દ્વારા આત્માને નિર્મળ કરીને એવા થઈ શકે છે? ઉત્તર : જરૂર. પ્રશ્ન : તે પછી જેઓ પરમેષ્ઠી નથી અને જેઓ પરમેષ્ઠી બન્યા છે, એ બન્ને વચ્ચે શક્તિની અપેક્ષાએ શું ફરક સમજવો ? ઉત્તર : કંઈ નહીં. ફરક ફક્ત શક્તિઓના પ્રગટ થવા અને નહીં થવાનું છે. એકમાં આત્મશક્તિઓનું વિશુદ્ધ સ્વરૂપે પ્રગટ થયું છે, બીજામાં એ પ્રગટ થયું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002157
Book TitleJain Dharmano Pran
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
PublisherRasiklal Dahyabhai Kora Mumbai
Publication Year1962
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy