Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai

View full book text
Previous | Next

Page 263
________________ ૨૩૨ જૈનધર્મને પ્રાણ શાશ્વત વિરોધ છતાં એકતાની પ્રેરક પરમાથદષ્ટિ એ ખરું છે કે સમાજમાં, શાસ્ત્રોમાં અને શિલાલેખ આદિમાં પણ ગ્રહો અને સમની આસપાસ પ્રવર્તેલા વિચાર અને આચારના ભેદે કે વિરોધની નેંધ છે; આપણે બૌદ્ધ પિટકે, જૈન આગમ અને અશોકના શિલાલેખે, તેમ જ બીજા અનેક ગ્રંથોમાં બ્રાહ્મણ અને શ્રમણ, એ બે વર્ગોને ઉલ્લેખ જોઈએ છીએ. મહાભાષ્યકાર પતંજલિએ આ બન્ને વર્ગોને શાશ્વત વિરોધરૂપે પણ નિર્દેશ્યા છે. આમ છતાં, ઉપર કહેવામાં આવ્યું છે તેમ, એ બન્ને પ્રવાહ પોતપોતાની રીતે એક જ પરમ તત્વને સ્પર્શે છે, એવું પ્રતિપાદન કરવામાં આવે તે એ કઈ દૃષ્ટિએ ? આ પ્રશ્નનો ખુલાસો કર્યા વિના તત્વજિજ્ઞાસા સંતોષાય નહીં. એ દૃષ્ટિ તે પરમાર્થની. પરમાર્થદષ્ટિ કુળ, જાતિ, વંશ, ભાષા, ક્રિયાકાંડ અને વેશ આદિના ભેદને અતિક્રમી વસ્તુના મૂળગત સ્વરૂપને નિહાળે છે, એટલે તે સહેજે અભેદ કે સમતા ભણી જ વળે છે. વ્યવહારમાં ઊભા થયેલા ભેદ અને વિરે સંપ્રદાયો તેમ જ તેના અનુગામીઓમાં પ્રવર્તેલા, અને ક્યારેક તેમાંથી સંઘર્ષ પણ જન્મેલે. એ સંઘર્ષના સૂચક બ્રાહ્મણ-શ્રમણ વર્ગોના ભેદોની નોંધ તે સચવાઈ પણ એની સાથે સાથે પરમાર્થદષ્ટિને પામેલ એવા પ્રાજ્ઞ પુરુષોએ જે એક્ય જોયું કે અનુભવ્યું તેની નોંધ પણ અનેક પરંપરાનાં અનેક શાસ્ત્રોમાં સચવાઈ છે. જૈન આગમે, કે જેમાં બ્રાહ્મણ અને શ્રમણ વર્ગોના ભેદને નિર્દેશ છે, તેમાં જ સાચા બ્રાહ્મણ અને સાચા શ્રમણનું સમીકરણ જોવા મળે છે. બૌદ્ધ પિટકમાં પણ એવું જ સમીકરણ છે. મહાભારતમાં વ્યાસે સ્થળે સ્થળે સાચા બ્રાહ્મણની વ્યાખ્યા સાચા શ્રમણ રૂપે જ આપી છે. વનપર્વમાં અજગરરૂપે અવતરેલ નહુષે સાચે બ્રાહ્મણ કાણુ, એવો પ્રશ્ન યુધિષ્ઠિરને પૂછળ્યો છે. ઉત્તરમાં યુધિષ્ઠિરના મુખે મહર્ષિ વ્યાસે કહ્યું છે કે દરેક જન્મ લેનાર સંકર પ્રજા છે. મનુના શબ્દો ટાંકી વ્યાસે સમર્થન કર્યું છે કે પ્રજામાત્ર સંકર જન્મા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281