Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai

View full book text
Previous | Next

Page 267
________________ ૨૩૬ જૈનધર્મને પ્રાણ રીતે પરસ્પરના સહકારથી એ બને સંઘે એકંદર હિતકાર્ય જ કરતા આવ્યા છે. [અચિં૦ ભા૧, પૃ. ૩૭૭-૩૭૮] [૨] સાધુસંસ્થા આજની સાધુસંસ્થા ભગવાન મહાવીરને તે આભારી છે, પણ એ સંસ્થા તે એથીયે જૂની છે. ભગવતી જેવા આગમમાં અને બીજા જૂના ગ્રંથમાં પાર્થાપત્ય એટલે પાર્શ્વનાથના શિષ્યોની વાત આવે છે. તેમાંના કેટલાક ભગવાન પાસે જતાં ખચકાય છે, કેટલાક તેમને ધર્મવિરોધી સમજી પજવે છે, કેટલાક ભગવાનને હરાવવા કે તેમની પરીક્ષા કરવા ખાતર તરેહતરેહનાં પ્રશ્નો કરે છે, પણ છેવટે એ પાર્થાપત્યની પરંપરા ભગવાન મહાવીરની શિષ્ય પરંપરામાં કાં તો સમાઈ જાય છે અને કાં તે તેમને કેટલાક સડેલે ભાગ આપઆપ ખરી જાય છે. અને એકંદર પાછે ભગવાનને સાધુસંધ નવે રૂપે જ ઊભો થાય છે, તે એક સંસ્થાના રૂપમાં ગોઠવાઈ જાય છે. ડહાપણ ભરેલું બંધારણ તેના રહેણુકરણના, અરસપરસના વહેવારના અને કર્તવ્યોના નિયમો ઘડાય છે. એ નિયમના પાલન માટે અને એમાં કોઈ ભંગ કરે તે એને શાસન કરવા માટે સુવ્યવસ્થિત રાજતંત્રની પેઠે એ સાધુસંસ્થાના તંત્રમાં પણ નિયમ ઘડાય છે; નાનામોટા અધિકારીઓ નિભાય છે. એ બધાનાં કામોની મર્યાદા અંકાય છે. સંઘસ્થવિર, ગચ્છસ્થવિર, આચાર્ય, ઉપાચાર્ય, પ્રવર્તક, ગણુ વગેરેની મર્યાદાઓ, અરસપરસના વ્યવહારે, કામના વિભાગે, એકબીજાની તકરારના ફેંસલાઓ, એકબીજા ગચ્છની અંદર કે એકબીજા ગુરુની પાસે જવા-આવવાના, શીખવાના, આહાર વગેરેના નિયમોનું જે વર્ણન છેદમાં મળે છે, તે જોઈ સાધુસંસ્થાના બંધારણ પરના આચાર્યોના ડહાપણ વિશે માન ઉત્પન્ન થયા વિના રહેતું નથી. એટલું જ નહિ, પણ આજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281