Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai
View full book text
________________
૧૭૮
જૈનધર્મને પ્રાણ જવાબદારી, ખૂબ ગંભીરતા અને દેશકાળનું વિશેષ જ્ઞાન વગેરે ગુણો જોઈએ. સાધુપદને માટે આ ગુણેને પ્રાપ્ત કરવાની ખાસ જરૂર નથી રહેતી. સાધુપદને માટે તે સત્તાવીશ ગુણ જરૂરી છે, એ તે આચાર્ય અને ઉપાધ્યાયમાં પણ હોય છે, પણ એ ઉપરાંત ઉપાધ્યાયમાં પચીસ અને આચાર્યમાં છત્રીસ ગુણ હોવા જોઈએ. અર્થાત્ સાધુપદ કરતાં ઉપાધ્યાયનું મહત્વ વધારે છે, અને ઉપાધ્યાયપદ કરતાં આચાર્યપદનું મહત્ત્વ વધારે છે. અરિહંતનું અલૌકિકપણું
પ્રશ્ન : જેમ અરિહંતની જ્ઞાન વગેરે આવ્યંતર શક્તિઓ અલૌકિક હોય છે, એમ એમની બાહ્ય અવસ્થા પણ શું આપણાથી વિશેષતાવાળી થઈ જાય છે ?
ઉત્તર : આત્યંતર શક્તિઓ સંપૂર્ણ થઈ જવાને કારણે અરિહંતને પ્રભાવ એટલે તો અલૌકિક થઈ જાય છે કે સામાન્ય માનવીને તે એના ઉપર વિશ્વાસ પણ ન બેસે. અરિહંતનો સમગ્ર વ્યવહાર લેકોત્તર હોય છે. મનુષ્ય, પશુ, પક્ષી વગેરે જુદી જુદી જાતના જીવો અરિહંતના ઉપદેશને પિતપોતાની ભાષામાં સમજી જાય છે. સાપનાળિયે, ઉંદર-બિલાડી, ગાય-વાઘ વગેરે જન્મનાં વેરી પ્રાણીઓ પણ સમવસરણમાં પિતાની વૈરવૃત્તિને ભૂલીને ભ્રાતૃભાવ ધારણ કરે છે. અરિહંતના વચનમાં જે પાંત્રીશ ગુણ હોય છે તે બીજાઓના વચનમાં નથી હોતા. જ્યાં અરિહંત બિરાજે છે ત્યાં માનવી વગેરેની તે વાત શું કરવી, કરડે દેવ પણ હાજર થાય છે, હાથ જોડીને ખડા રહે છે, ભક્તિ કરે છે અને અશોકવૃક્ષ વગેરે આઠ પ્રાતિહાર્યોની રચના કરે છે. આ બધું અરિહંતના પરમેગની વિભૂતિ છે.
પ્રશ્ન : આવું કેવી રીતે માની શકાય ?
ઉત્તર : આપણને જે વાતે અસંભવ જેવી લાગે તે પરમયોગીઓને માટે સામાન્ય છે. એક જંગલી ભીલને ચક્રવતીની ઋદ્ધિને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org