Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai

View full book text
Previous | Next

Page 249
________________ ૨૧૮ જૈનધમ ના પ્રાણ તો એક જ છે—ભલે પછી એનાં પરિભાષા, વર્ગીકરણ વગેરે જુદાં હોય. અહીં તે જોવાનું એ છે કે જૈન પરપરામાં નિશ્ચય અને વ્યવહારરૂપે જે એ દૃષ્ટિઓ માનવામાં આવી છે, એ તત્ત્વજ્ઞાન અને આચાર, એ અન્ને ક્ષેત્રોને લાગુ પાડવામાં આવી છે. બીજા બધાંય ભારતીય દનાની જેમ જૈન દર્શનમાં પણ તત્ત્વજ્ઞાન અને આચાર એ બન્નેને સમાવેશ થાય છે. તત્ત્વજ્ઞાન અને આચારમાં એની ભિન્નતા જ્યારે નિશ્ચય અને વ્યવહારનયના પ્રયોગ તત્ત્વજ્ઞાન અને આચાર બન્નેમાં થાય છે, ત્યારે સામાન્ય રૂપે શાસ્ત્રચિંતન કરનારને એ ભેદ નથી સમજાતા કે તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં કરવામાં આવતા નિશ્ચય અને વ્યવહારને પ્રયાગ આચારના ક્ષેત્રમાં કરવામાં આવતા એવા પ્રયાગથી ભિન્ન છે અને ભિન્ન પરિણામના સૂચક પણ છે. તત્ત્વજ્ઞાનની નિશ્ચયદૃષ્ટિ અને આચાર સબંધી નિશ્ચયદૃષ્ટિ એ અન્ને એક નથી. એ બન્નેની વ્યવહારદૃષ્ટિના સંબંધમાં પણ એમ જ સમજવું. એનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે : તત્ત્વલક્ષી નિશ્ચય અને વ્યવહારાષ્ટ જ્યારે નિશ્ચયદષ્ટિથી તત્ત્વના સ્વરૂપનું પ્રતિપાદન કરવું હોય તે એની મર્યાદામાં ફક્ત એ જ વાત આવવી જોઈએ કે જગતનાં મૂળતત્ત્વ કયાં છે? કેટલાં છે? અને એમનુ ક્ષેત્ર-કાલ વગેરેથી નિરપેક્ષ સ્વરૂપ શું છે? અને જ્યારે વ્યવહારદષ્ટિએ તત્ત્વનિરૂપણ કરવું હોય ત્યારે એ જ મૂળ તત્ત્વાના સ્વરૂપનુ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ વગેરેની અપેક્ષાએ પ્રતિપાદન કરવામાં આવે છે. આ રીતે આપણે નિશ્ચયદષ્ટિને ઉપયોગ કરીને જૈન દનસંમત તત્ત્વાનુ સ્વરૂપ કહેવા છીએ તે ટૂંકમાં એમ કહી શકીએ કે ચેતન અને અચેતન એવા પરસ્પર અત્યન્ત વિજાતીય એવાં એ તત્ત્વ છે. બન્ને એકબીજા ઉપર અસર કરવાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281