Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai

View full book text
Previous | Next

Page 244
________________ નયવાદ ૨૧૩ દષ્ટિઓ જેકે તત્ત્વજ્ઞાનની સાથે સંબંધ ધરાવે છે, પણ મૂળમાં એ તે સમયના રાજ્યવ્યવહાર અને સામાજિક વ્યવહારને આધારે ફલિત કરવામાં આવી છે, એટલું જ નહીં, બલકે “સંગ્રહ”, “વ્યવહાર” વગેરે ઉપર જણાવેલ શબ્દો પણ તે સમયના ભાષાપ્રયાગમાંથી લેવામાં આવ્યા છે. અનેક ગણો મળીને રાજ્યવ્યવસ્થા કે સમાજવ્યવસ્થા કરે છે, જે એક પ્રકારનો સમુદાય કે સંગ્રહ હતો, અને જેમાં ભેદમાં અભેદ દૃષ્ટિનું પ્રાધાન્ય રહેતું હતું. તત્વજ્ઞાનના “સંગ્રહ” નયના અર્થમાં પણ એ જ ભાવ છે. વ્યવહાર ભલે રાજકીય હેય કે સામાજિક, પણ એ જુદી જુદી વ્યક્તિઓ કે જુદાં જુદાં જૂથ દ્વારા જ સિદ્ધ થાય છે. તત્ત્વજ્ઞાનના વ્યવહાર ” નયમાં પણ ભેદ એટલે વિભાજનને જ ભાવ મુખ્ય છે. વૈશાલીમાંથી મળેલા સિક્કાઓ ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે “વ્યાવહારિક અને “વિનિશ્ચય મહામાત્ય ની જેમ ‘સૂત્રધાર પણ એક પદ-હોદ્દો હતો. મારા માનવા પ્રમાણે, સૂત્રધારનું કામ એ જ હોવું જોઈએ જે જૈન તત્ત્વજ્ઞાનના “ઋજુસૂત્ર” નયથી કહેવા ધાયું છે. “ઋજુસૂત્ર' નયનો અર્થ છે–આગળ પાછળની (ભૂતભવિષ્યની) ગલીકૂચીમાં ન જતાં કેવળ વર્તમાનને જ વિચાર કરો. સંભવ છે, સૂત્રધારનું કામ પણ કંઈક એવું જ હોય કે જે સવાલો ઊભા થાય એનું તરત જ નિરાકરણ કરવામાં આવે. દરેક સમાજમાં, સંપ્રદાયમાં અને રાજ્યમાં પણ વિશિષ્ટ પ્રસંગેએ અર્થાત આજ્ઞાને જ પ્રાધાન્ય આપવું પડે છે, જ્યારે બીજી રીતે મામલો થાળે પડતો ન હોય ત્યારે કોઈ એક વ્યક્તિને શબ્દ-આજ્ઞા જ અંતિમ પ્રમાણુ માનવામાં આવે છે. શબ્દના આ મુખ્યપણાનો ભાવ, બીજે રૂપે, “શબ્દ નયમાં સમાયેલ છે. ખુદ બુધે જ કહ્યું છે કે લિચ્છવીગણે જૂના રીતરિવાજોને અર્થાત રૂઢિઓને આદર કરે છે. કોઈ પણ સમાજ પ્રચલિત રૂઢિઓનું સર્વથા ઉમૂલન કરીને જીવી નથી શકતે. “સમભિરૂઢ નયમાં રૂઢિના અનુસરણ ભાવ તાત્ત્વિક દૃષ્ટિએ ધટાવ્યો છે. સમાજ, રાજ્ય અને ધર્મની અને વ્યવહારને લગતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281