Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai
View full book text
________________
જૈનધર્મને પ્રાણ
નથી અને સાંખ્યના મત મુજબ કર્મ પ્રકૃતિને ધર્મ હેવાથી ખરી રીતે એ જડથી જુદું નથી; પણ જૈન ચિંતકાની માન્યતા મુજબ કર્મતત્ત્વ ચેતન અને જડ બને રૂપે જ ફલિત થાય છે, જેને તેઓ ભાવ અને દ્રવ્યકર્મ પણ કહે છે.
આ બધી કર્મ સંબંધી પ્રક્રિયા એટલી પ્રાચીન તે જરૂર છે કે જ્યારે કર્મતત્વના ચિંતકો વચ્ચે પરસ્પર વિચારવિનિમય વધારેમાં વધારે થતો હતો. એ સમયે કેટલે પ્રાચીન છે એ નિશ્ચિત રૂપે તે કહી શકાય એમ નથી, પણ જૈન દર્શનમાં લાંબા સમયથી કર્મશાસ્ત્રનું જે સ્થાન છે, એ શાસ્ત્રમાં વિચારનું જે ઊંડાણ, કડીબદ્ધપણું અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાવનું અસાધારણ નિરૂપણ છે, એને ધ્યાનમાં લેતાં એમ માન્યા વિના નથી ચાલતું કે જૈન દર્શનની વિશિષ્ટ કર્મવિદ્યા ભગવાન પાર્શ્વનાથ પહેલાં જરૂર સુસ્થિર થઈ ચૂકી હતી. આ -શાસ્ત્રને જાણકાર કર્મશાસ્ત્રવેત્તા કહેવાયા અને એ જ વિદ્યા આગ્રાચણીય પૂર્વ તથા કર્મપ્રવાદ પૂર્વને નામે વિકૃત થઈ. ઐતિહાસિક દૃષ્ટિએ પૂર્વ શબ્દને અર્થ ભગવાન મહાવીર પહેલાંથી ચાલ્યાં આવતાં શાસ્ત્રવિશેષ થાય છે. નિઃશંકપણે આ “પૂર્વ ખરી રીતે ભગવાન પાર્શ્વનાથ પહેલાંથી જ એક કે બીજે રૂપે પ્રચલિત હતાં. એક તરફ જૈન ચિંતકોએ કર્મતત્વના ચિંતન પ્રત્યે ખૂબ ધ્યાન આપ્યું,
જ્યારે બીજી તરફ સાંખ્યયોગે ધ્યાનમાર્ગ પ્રત્યે સવિશેષ ધ્યાન આપ્યું. આગળ જતાં જ્યારે તથાગત બુદ્ધ થયા ત્યારે એમણે પણ ધ્યાન ઉપર જ વધારે ભાર આપ્યો. પણ બધાએ વારસામાં મળેલ કર્મચિંતનને સાચવી રાખ્યું. એટલા માટે જ સૂક્ષ્મતાની અને વિસ્તારની દૃષ્ટિએ જૈન કર્મશાસ્ત્ર પિતાનું અસાધારણ સ્થાન ધરાવવા છતાં સાંખ્ય-ગ, બૌદ્ધ વગેરે દર્શનના કર્મચિંતનોની સાથે એનું ઘણુંખરું સામ્ય છે અને મૂળમાં એકતા પણ છે, જે કર્મશાસ્ત્રના અભ્યાસીઓએ જાણવા જેવાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org