Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai
View full book text
________________
જૈન તત્ત્વજ્ઞાન
૩
હાથ છે, એ ઈશ્વરીય હાથ સિવાય આવું અદ્ભુત કા સંભવી શકે નહિ, તેમ જૈન દૃન નથી માનતું, એ પ્રાચીન સાંખ્ય, પૂર્વમીમાંસક અને બૌદ્ધ આદિની પેઠે માને છે કે જડ અને ચેતન એ એ સત્-પ્રવાહે આપેાઆપ, કાઈ ત્રીજી વિશિષ્ટ શક્તિના હાથ સિવાય જ, ચાલ્યા કરે છે, અને તેથી આ જગતની ઉત્પત્તિ કે વ્યવસ્થા માટે ઈશ્વર જેવી સ્વતંત્ર અનાદિસિદ્ધ વ્યક્તિ સ્વીકારવાની એ ના પાડે છે. જોકે જૈન દર્શન ન્યાય, વૈશેષિક, બૌદ્ધ આદિની પેઠે જડ સત્–તત્ત્વને અનાદિસિદ્ધ અનંત વ્યક્તિરૂપ સ્વીકારે છે, અને સાંખ્યની પેઠે એક વ્યક્તિરૂપ નથી સ્વીકારતું, છતાં તે સાંખ્યના પ્રકૃતિગાની સહજ પરિણામવાદને અનંત પરમાણુ નામક જડ સત્ત્વતત્ત્વામાં સ્થાન આપે છે.
આ રીતે જૈન માન્યતા પ્રમાણે જગતને પરિવર્તન-પ્રવાહ આપમેળે જ ચાલે છે, તેમ છતાં જૈન દર્શન એટલું તે સ્પષ્ટ કહે છે કે વિશ્વમાંની જે ઘટનાએ કાઈનાં બુદ્ધિ અને પ્રયત્નને આભારી દેખાય છે તે ઘટનાઓની પાછળ ઈશ્વરને નહિ પણ તે ધટનાઓના પરિણામમાં ભાગીદાર થનાર સંસારી જીવના હાથ છે, એટલે કે તેવી ઘટનાએ જાણે-અજાણે કાઈ ને કાઈ સંસારી જીવનાં બુદ્ધિ અને પ્રયત્નને આભારી હેાય છે. આ બાબતમાં પ્રાચીન સાંખ્ય અને બૌદ્ધ દર્શન જૈન દર્શન જેવા જ વિચારે ધરાવે છે.
વેદાન્ત દર્શન પ્રમાણે જૈન દન સચેતન તત્ત્વને એક કે અખંડ નથી માનતું, પણ સાંખ્ય, યાગ, ન્યાય, વૈશેષિક તેમ જ બૌદ્ધ આદિની પેઠે એ સચેતન તત્ત્વને અનેક વ્યક્તિરૂપે માને છે. તેમ છતાં એમની સાથે પણ જૈન દર્શનના થાડા મતભેદ છે, અને તે એ છે કે જૈન દર્શનની માન્યતા પ્રમાણે સચેતન તત્ત્વ બૌદ્ધ માન્યતાની જેમ ધ્રુવળ પરિવર્તન પ્રવાહ નથી, તેમ જ સાંખ્યન્યાય આદિની પેઠે માત્ર ફૂટસ્થ પણ નથી, કિન્તુ જૈન દર્શન કહે છે કે મૂળમાં સચેતન તત્ત્વ ધ્રુવ અર્થાત્ અનાદિ-અનંત હેાવા છતાં એ દેશકાળની અસર ધારણુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org