Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai
View full book text
________________
૧૧૮
Jain Education International
જૈનધમ ના પ્રાણ
અહિંસાની ભાવનાના વિકાસ
નેમિનાથની કરુણા
ભગવાન પાર્શ્વનાથની પહેલાં નિથ પરંપરામાં યદુકુમાર નેમિનાથ થઈ ગયા. એમની અઐતિહાસિક જીવનકથાઓમાં જે ઘટનાનો ઉલ્લેખ મળે છે, એને નિગ્ર ંથ પરપરાની અહિંસક ભાવનાને એક સીમાસ્તંભ કહી શકાય એમ છે. લગ્ન-સગપણ વગેરે સામાજિક ઉત્સવેા–સમાર’ભામાં જમવા-જમાડવાના અને મેાજ-મજા કરવાને રિવાજ તે અત્યારે પણ પ્રચલિત છે, પણ એ સમયમાં આવા સમારંભોમાં અનેક પ્રકારનાં પશુઓનો વધ કરીને એમનાં માંસથી જમણવારને આકર્ષીક બનાવવાની પ્રથા પ્રચલિત હતી—ખાસ કરીને ક્ષત્રિયામાં તે એ પ્રથા વિશેષ રૂઢ હતી. આ પ્રથા પ્રમાણે લગ્ન નિમિત્તે ઊજવાનાર ઉત્સવમાં, વધ કરવાને માટે એકત્ર કરવામાં આવેલાં હરણ વગેરે જુદી જુદી જાતનાં પશુઓના માતનાદ સાંભળીને નેમિકુમાર, ખરાબર લગ્નને ટાંકણે જ કરુણા થઈ ગયા, અને જે લગ્નમાં આવાં પશુઓને! વધ કરીને માંસ ખાવા-ખવરાવવાના કાને પ્રતિષ્ઠિત માનવામાં આવતુ હતુ, એવાં પેાતાનાં લગ્નના વિચાર જ એમણે માંડી વાળ્યા. નેમિકુમારના આ, કરુણામાંથી જન્મેલ બ્રહ્મચવાસને એ વખતના સમાજ ઉપર એવા પ્રભાવ પડયો અને ક્રમે ક્રમે એ પ્રભાવ એવા વધતા રહ્યો કે ધીમે ધીમે અનેક જાતિઓએ સામાજિક સમારંભામાં માંસ ખાવા-ખવરાવવાની પ્રથાને જ તિલાંજલિ આપી દીધી. ઘણે ભાગે આ જ એવી પહેલી ઘટના છે કે જે સામાજિક વ્યવહારામાં અહિંસાના પાયા નંખાયાની સૂચક છે. નેમિકુમાર ચાશિરામણ દેવકીનંદન શ્રીકૃષ્ણના નાનાભાઈ—પિતરાઈ હતા; એમ લાગે છે કે એ કારણે દ્વારકા અને મથુરાના યાદવેા ઉપર સારે પ્રભાવ પડયો હતા.
For Private & Personal Use Only
www.jainelibrary.org