Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai
View full book text
________________
૧૩૬
જૈનધર્મનો પ્રાણ
પણ નિગ્રંથ પરંપરા તપસ્યાપ્રધાન હતી કે નહીં?
આ પ્રશ્નનો જવાબ આપણને “હા”માં જ મળી રહે છે, કેમ કે ભગવાન મહાવીરે પાશ્વપત્યિક નિગ્રંથ પરંપરામાં જ દીક્ષા લીધી હતી; અને દીક્ષાની શરૂઆતથી જ તેઓ તપસ્યા તરફ ઢળ્યા હતા. આ ઉપરથી આપણે એ જાણી શકીએ છીએ કે પાર્શ્વપત્યિક પરંપરાનું તપ તરફ કેવું વલણ હતું. ભગવાન પાર્શ્વનાથનું જે જીવન જૈન ગ્રંથમાં મળે છે એને જેવાથી પણ આપણે એમ જ કહી શકીએ છીએ કે પાર્શ્વનાથની નિગ્રંથ પરંપરા તપસ્યાપ્રધાન હતી. ભગવાન મહાવીરે પોતાના જીવન દ્વારા એ પરંપરામાં શુદ્ધિ અને વિકાસનું તત્વ ભલે દાખલ કર્યું હોય, પણ એમણે પહેલાંથી ચાલી આવતી પાર્શ્વપત્યિક નિગ્રંથ પરંપરામાં તમાર્ગને નવેસરથી દાખલ નથી કર્યો. આની સાબિતી આપણને બીજી રીતે પણ મળી રહે છે.
જ્યાં બુદ્ધ પિતાના શિષ્યો પાસે પોતાના પૂર્વજીવનનું વર્ણન કરતાં, અનેક પ્રકારની તપસ્યાઓની નિરર્થકતા કહી બતાવી હતી ત્યાં એમણે નિગ્રંથ-તપસ્યાને પણ ઉલ્લેખ કર્યો હતો. બુદ્ધ જ્ઞાતપુત્ર મહાવરની પહેલાં જ જન્મ ધારણ કર્યો હતો અને ગૃહત્યાગ કરીને તપસ્વીભાર્ગને સ્વીકાર કર્યો હતે. એ સમયમાં પ્રચલિત બીજા બીજા પંથેની જેમ બુદ્દે નિગ્રંથ પંથને પણ થોડા વખત માટે સ્વીકાર કર્યો હતો અને પિતાના સમયમાં પ્રચલિત નિગ્રંથ-તપસ્યાનું આચરણ પણ કર્યું હતું. તેથી બુદ્ધ જ્યારે પિતે પહેલાં કરેલી તપસ્યાનું વર્ણન કરે છે ત્યારે એમાં દૂબહૂ નિગ્રંથ-તપસ્યાનું સ્વરૂપ પણ આવી જાય છે, જે અત્યારે જૈન ગ્રંથ અને જૈન પરંપરા સિવાય બીજે ક્યાંય જોવામાં નથી આવતું. મહાવીર પહેલાં જે નિગ્રંથ તપસ્યાનું બુદ્ધ આચરણ કર્યું હતું, એ તપસ્યા પાર્શ્વપત્યિક નિર્ગય પરંપરા સિવાય બીજી કોઈ નિગ્રંથ પરંપરાની હેવાને સંભવ નથી, કારણ કે મહાવીર તે હજી જન્મ્યા જ ન હતા,
૧. મનિઝમનિકાય સુ૨૬. અકસંબીકૃત બુદ્ધચતિ (ગુજરાતી).
Jain Education International
For. Private & Personal Use Only
www.jainelibrary.org