Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai
View full book text
________________
૧૬૪.
જૈનધર્મને પ્રાણ
ઉપયોગપૂર્વક કરવામાં આવતી ક્રિયા–છે. આ જ કમ આત્માને ગુણસંપન્ન કરનારું હોવાથી એ “આવાસક” પણ કહેવાય છે. વૈદિક દર્શનમાં “આવશ્યક” ગણવામાં આવતાં કર્મો માટે “નિત્યકમ” શબ્દ પ્રસિદ્ધ છે. જૈન દર્શનમાં “અવશ્ય કર્તવ્ય, ધ્રુવ, નિગ્રહ, વિશોધિ, અધ્યયનકવર્ગ, ન્યાય, આરાધના, માર્ગ વગેરે અનેક શબ્દો એવા છે કે જે “આવશ્યક” શબ્દના સમાનાર્થક–પર્યાય છે.? છ આવશ્યકનું સ્વરૂપ
સ્થૂળ દૃષ્ટિએ “આવશ્યક ક્રિયાના છ ભેદ કરવામાં આવ્યા છેઃ (૧) સામાયિક, (૨) ચતુર્વિશતિસ્તવ, (૩) વંદન, (૪) પ્રતિક્રમણ, (૫) કાયોત્સર્ગ અને (૬) પ્રત્યાખ્યાન.
(૧) સામાયિક–રાગ અને દ્વેષને તાબે ન થતાં સમભાવમધ્યસ્થ ભાવમાં–રહેવું, અર્થાત્ બધાની સાથે આત્મતુલ્ય વ્યવહાર કરે, એ સામાયિક કહેવાય છે. એના (૧) સમ્યક્ત્વસામાયિક, (૨) શ્રુતસામાયિક અને (૩) ચારિત્રસામાયિક એ ત્રણ ભેદ છે; કારણ કે સમ્યક્ત્વથી, મૃતથી કે ચારિત્રથી જ સમભાવમાં રહી શકાય છે. અધિકારીના ભેદે ચારિત્રસામાયિકના પણ બે ભેદ છે : (૧) દેશચારિત્ર અને (૨) સર્વચારિત્ર. દેશચારિત્ર-સામાયિક ગૃહસ્થને અને સર્વચારિત્ર–સામાયિક સાધુઓને હોય છે. સમતા, સમ્યક્ત્વ, શાંતિ, સુવિહિત વગેરે શબ્દો સામાયિકના પર્યાય છે.
(૨) ચતુર્વિશતિસ્તવ—જેઓ સર્વગુણસંપન્ન આદર્શરૂપ છે, તે ચોવીસ તીર્થકરોની સ્તુતિરૂપ છે. આના (૧) દ્રવ્ય (૨) ભાવ, એ બે ભેદ છે. ફૂલ વગરે સાત્વિક વસ્તુઓ દ્વારા તીર્થકરોની પૂજા કરવી,
૧. આવશ્યકવૃત્તિ પૃ. ૫૩. ૨. આવશ્યકનિયુક્તિ ગા૦ ૧૦૩૨.
૩. આવશ્યકનિર્યુક્તિ ગાત્ર ૭૯૬. , ૪. એજન ગાત્ર ૧૦૩૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org