Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai
View full book text
________________
આવશ્યક ક્રિયા
૧૬૩
આવશ્યક 'થી લઈ ને એટલે કે પ્રતિક્રમણની સ્થાપનાથી શરૂ કરીને—તે - પ્રત્યાખ્યાન–પ્રચ્ચક્ખાણ ’ સુધીનાં છયે આવશ્યકનાં સૂત્રોને તથા વચમાં વિધિ કરવાને ક્રમ મેટે ભાગે એ જ છે, જેને ઉલ્લેખ શ્રીહરિભદ્રસૂરિએ કર્યો છે.
આવશ્યક ક્રિયા એટલે શુ?
" આવશ્યક કહે
'
વામાં આવે છે. આવશ્યક ક્રિયા ' બધાને માટે એક નથી; એ અધિકારભેદે જુદી જુદી છે. તેથી ‘ આવશ્યક ક્રિયા ’નું સ્વરૂપ જણાવતાં પહેલાં એ જણાવવું જરૂરી છે કે અહીં કેવા પ્રકારના અધિકારીઓના આવશ્યક કમ્”ના વિચાર થાય છે?
"
જે ક્રિયા અવશ્ય કરવા જેવી હાય એને જ
'
સામાન્ય રીતે શરીરધારી પ્રાણીઓના એ વિભાગ છે : (૧) અહિદૃષ્ટિ અને (૨) અન્તર્દષ્ટિ. જેઓ અંતર્દષ્ટિ છે—જેમની દૃષ્ટિ આત્મા તરફ ઢળેલી છે, અર્થાત્ જેઓ સહજ સુખને પ્રગટ કરવાને વિચાર તથા પ્રયત્ન કરી રહ્યા છે—એમનાં જ • આવશ્યક કમ ના અહીં વિચાર કરવાના છે. આ કથન ઉપરથી એ નિશ્ચિત થાય છે કે જેઓ જડ વસ્તુઓમાં પેાતાની જાતને ભૂલી નથી ગયા——જેમની દૃષ્ટિને કાઈ પણ જડ વસ્તુનું સૌંદર્ય લાભાવી નથી શકતું—એમનું ‘આવશ્યક કર્મી’ એ જ હોઈ શકે કે જેને લઈ તે એમને આત્મા સહજ સુખને અનુભવ કરી શકે. જ્યારે અંતષ્ટિ ધરાવતા આત્માઓના સમ્યક્ત્વ, ચેતના, ચારિત્ર વગેરે ગુણ વ્યક્ત હેાય ત્યારે જ તેઓ સહજ સુખને અનુભવ કરી શકે છે. તેથી જે ક્રિયાઓ સમ્યક્ત્વ વગેરે ગુણાના વિકાસમાં સહાયક થાય એ ક્રિયાઓને જ તેઓ ‘ આવશ્યક ક’ સમજે છે. એટલે અહી ટૂંકાણમાં ‘ આવશ્યક ’ની વ્યાખ્યા એટલી જ સમજવી કે જે ક્રિયા જ્ઞાનાદિ ગુણાને પ્રગટ કરવા માટે અવશ્ય કરવા જેવી હાય એ જ
*
આવશ્યક.’
આવું ‘ આવશ્યક ’ જ્ઞાન અને ક્રિયા ઉભય પરિણામરૂપઅર્થાત્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org