Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai
View full book text
________________
૧૪૪
તે ત્યાગી જીવનને ઉદ્દેશીને જ. તપ અને દેખાય છે, એના ભેદ પણ જુદા છે, છતાં પાડી શકાય એવા એ એ ગા છે.
જૈનધમના પ્રાણ
પરિષદ્ધએ એ જુદાં એકખીજાથી છૂટા ન
તનિયમ અને ચારિત્ર એ અન્ને એક જ વસ્તુ નથી. એ જ રીતે જ્ઞાન એ પણ બન્નેથી જુદી વસ્તુ છે. આમ છતાં વ્રતનિયમ, ચારિત્ર અને જ્ઞાન એ ત્રણના યાગ એક વ્યક્તિના જીવનમાં શકય છે, અને જો એ યાગ હાય તેા જીવનને વધારે ને વધારે વિકાસ સંભવે છે; એટલું જ નહિ, પણ એવા યેગવાળા આત્માના જ વધારે વ્યાપક પ્રભાવ બીજા ઉપર પડે છે; અથવા તે એમ કહેા કે એવા જ માણસ બીજાને દોરી શકે છે. આ જ કારણથી ભગવાને તપ અને પરિષહેામાં એ ત્રણ તત્ત્વા સમાવ્યાં છે. તેમણે જોયું કે મનુષ્યને જીવનપથ લાંખે છે, તેનું ધ્યેય અતિ દૂર છે, તે ધ્યેય જેટલું દૂર છે તેટલું જ સૂક્ષ્મ છે અને તે ધ્યેયે પહેાંચતાં વચ્ચે મેટી મુસીબતો ઊભી થાય છે; એ માંમાં અંદરના અને બહારના બન્ને દુશ્મને હુમલા કરે છે, એના પૂર્ણ વિજય એકલા નિયમથી, એકલા ચારિત્રથી કે એકલા જ્ઞાનથી શકય નથી. આ તત્ત્વ ભગવાને પેાતાના જીવનમાં અનુભવ્યા બાદ જ એમણે તપ અને પરિષહેાની એવી ગેાઠવણી કરી કે તેમાં વ્રતનિયમ, ચારિત્ર અને જ્ઞાન એ ત્રણેને સમાવેશ થઈ જાય. એ સમાવેશ એમણે પેાતાના જીવનમાં શકય કરી બતાવ્યા.
જૈન તપમાં ક્રિયાયોગ અને જ્ઞાનયોગના સુમેળ
મૂળમાં તે તપ અને પરિષદ્ધ એ ત્યાગી તેમ જ ભિક્ષુજીવનમાંથી જ ઉત્પન્ન થયેલાં છે—જોકે એને પ્રચાર અને પ્રભાવ તા એક અદના ગૃહસ્થ સુધી પણ પહેાંચેલા છે. આર્યાંવના ત્યાગજીવનના ઉદ્દેશ આધ્યાત્મિક શાંતિજ હતા. આધ્યાત્મિક શાંતિ એટલે ક્લેશાની અને વિકારાની શાંતિ. આ ઋષિઓને મન ક્લેશાને વિજય એ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org