Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai
View full book text
________________
જૈન દષ્ટિએ બ્રહ્મચર્યવિચાર
૧૫૩ ધર્મને ઉપદેશ કર્યો. આચારાંગસૂત્રમાં ધર્મનાં ત્રણ સામે પણ કહેલા છે. એની વ્યાખ્યા જોતાં એમ લાગે છે કે ત્રણ યામની પરંપરા પણ જૈનસંમત હેય. આનો અર્થ એમ થયો કે કઈ જમાનામાં જૈન પરંપરામાં (૧) હિંસાનો ત્યાગ, (૨) અસત્યને ત્યાગ અને (૩) પરિગ્રહનો ત્યાગ એમ ત્રણ જ યા હતા. પછી એમાં ચૌર્યનો ત્યાગ ઉમેરાઈ ત્રણના ચાર ધામ થયા; અને છેલ્લે કામાચારના ત્યાગનો યામ વધારી ભગવાન મહાવીરે ચારના પાંચ કામ કર્યા. આ રીતે ભગવાન મહાવીરના સમયથી અને એમના જ શ્રીમુખે ઉપદેશાયેલું બ્રહ્મચર્યનું જુદાપણું જૈન પરંપરામાં જાણીતું છે. જે સમયે ત્રણ કે ચાર યામ હતા તે સમયે પણ પાલન તો પાંચનું થતું હતું. ફકત એ સમયના વિચક્ષણ અને સરળ મુમુક્ષુઓ ચૌર્ય અને કામાચારને પરિગ્રહરૂપ સમજી લેતા, અને પરિગ્રહનો ત્યાગ કરતાં જ તે બન્નેને પણ ત્યાગ આપોઆપ થઈ જતો. પાર્શ્વનાથની પરંપરા સુધી તે કામાચારનો ત્યાગ પરિગ્રહના ત્યાગમાં જ આવી જ અને એથી એનું જુદુ વિધાન નહિ થયેલું, પણ આમ કામાચારના ત્યાગના જુદા વિધાનને અભાવે શ્રમણ સંપ્રદાયમાં બ્રહ્મચર્યનું શૈથિલ્ય આવ્યું અને કેટલાક તો એવા અનિષ્ટ વાતાવરણમાં પડવા પણ લાગ્યા. એથી જ ભગવાન મહાવીરે પરિગ્રહત્યાગમાં સમાસ પામતા કામાચારત્યાગને પણ એક ખાસ મહાવ્રત તરીકે જુદો ઉપદેશ્યો. ૪. બ્રહ્મચર્યનું છે અને તેના ઉપાય
જૈનધર્મમાં અન્ય તમામ વ્રતનિયમોની પેઠે બ્રહ્મચર્યનું સાધ્ય પણ માત્ર મેક્ષ છે. જગતની દષ્ટિએ મહત્વની ગણાતી ગમે તે બાબત બ્રહ્મચર્યથી સિદ્ધ થઈ શકતી હોય, પણ જો તેનાથી મેક્ષ સાધવામાં ન આવે તે જૈન દૃષ્ટિ પ્રમાણે એ બ્રહ્મચર્ય લેકેત્તર (આધ્યાત્મિક) નથી. જૈન દષ્ટિ પ્રમાણે મેક્ષમાં ઉપયોગી થતી વસ્તુ જ સાચું મહત્ત્વ
૧. આચારાંગ મુ. ૧, અ૦ ૮, ઉ૦ ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org