Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai
View full book text
________________
અહિંસા
૧૩૩ હતો. બન્ને ભિક્ષુ અપ્રમત્ત હતા. એમના આત્મવધમાં ફેર એ છે કે તેઓ ઉપવાસ વગેરેથી ધીમે ધીમે મૃત્યુની તૈયારી નથી કરતા, પરંતુ શસ્ત્રથી એક ઘાએ પિતાનો નાશ કરે છે, જેને હારાકીરી કહી શકાય. જૈન શાસ્ત્રો આવા શસ્ત્રવધને સંમતિ નથી આપતાં. બન્ને પરંપરાઓમાં મૂળ ભૂમિકા સંપૂર્ણપણે એક જ છે, અને તે કેવળ સમાધિજીવનનું રક્ષણ. “સ્યુસાઈડ” – આપઘાત શબ્દ કંઈક નિંઘ જેવો છે. શાસ્ત્રમાં એને માટે “સમાધિમરણ” અને “પંડિતમરણ” શબ્દ છે, જે એગ્ય છે. ઉપર જણાવેલ છન્ન અને વલ્કલીની કથા અનુક્રમે મઝિમનિકાય અને સંયુત્તનિકાયમાં છે. ” કેટલાંક સૂકો નમૂનારૂપે કેટલાંક પ્રાકૃત પદ્યો અને એનો અનુવાદ જોઈએ –
मरणपडियारभूया एसा एवं च ण मरणणिमित्ता।
जह गंडच्छेअकिरिया णो आयविराहणारूपा ॥
–જેવી રીતે ગૂમડાને નસ્તર મારવું એ આત્મવિરાધનાને માટે નથી થતું, તેવી રીતે સમાધિમરણની ક્રિયા મરણ નિમિત્તે નહીં, કિંતુ એના પ્રતિકારને માટે છે.
जीवियं नाभिकंखेजा मरणं नावि पत्थए ।
–એને ન તે જીવનની અભિલાષા છે કે ન એ મરણને માટે પ્રાર્થના કરે છે.
अप्पा खलु संथारो हवई विसुद्धचरित्तम्मि । –ચારિત્રમાં રહેલ વિશુદ્ધ આત્મા પોતે જ સંથારો છે.
[દઔચિં ખ૦ ૨, ૫૦ પ૩૩-૫૩૬ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org