Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai
View full book text
________________
૧૦૮
જૈનધર્મને પ્રાણ
હઈ લક્ષ્યબ્રિષ્ટ હોય છે, ત્યાં સુધીની તેની બધી ક્રિયા શુભાશય વિનાની હોવાથી ગકટિમાં આવતી નથી. જ્યારથી તેની પ્રવૃત્તિ બદલાઈ સ્વરૂપન્મુખ થાય છે, ત્યારથી જ તેની ક્રિયામાં શુભાશયનું તત્ત્વ દાખલ થાય છે અને તેથી તે શુભાશયવાળો વ્યાપાર ધર્મ વ્યાપાર કહેવાય છે અને તે પરિણામે મોક્ષજનક હોઈ યોગ નામને પાત્ર બને છે. આ રીતે આત્માના અનાદિ સંસારકાળના બે ભાગ થઈ જાય છે. એક અધાર્મિક અને બીજો ધામિક. અધાર્મિક કાળમાં ધર્મની પ્રવૃત્તિ હોય તો પણ તે ધર્મ ખાતર નથી હોતી, કેવળ
લેકપતિ' (લોકરંજન) ખાતર હોય છે. તેથી તેવી પ્રવૃત્તિ ધર્મ કેટિમાં ગણવા યોગ્ય નથી. ધર્મ ખાતર ધર્મની પ્રવૃત્તિ ધાર્મિક કાળમાં જ શરૂ થાય છે, તેથી તે પ્રવૃત્તિ યોગ કહેવાય છે.
યોગના તેઓએ અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય એવા પાંચ ભાગો કરેલા છે.
(૧) જ્યારે થોડા કે ઘણું ત્યાગ સાથે શાસ્ત્રીય તત્વચિંતન હોય છે અને મૈત્રી, કરુણુદિ ભાવનાઓ વિશેષ સિદ્ધ થઈ જાય છે, ત્યારે તે સ્થિતિ અધ્યાત્મ કહેવાય છે.
(૨) જ્યારે મન સમાધિપૂર્વક સતત અભ્યાસ કરવાથી અધ્યાત્મ વડે સવિશેષ પુષ્ટ થાય છે, ત્યારે તે ભાવના છે. ભાવનાથી અશુભ અભ્યાસ ટળે છે, શુભ અભ્યાસની અનુકૂળતા વધે છે અને સુંદર ચિત્તની વૃદ્ધિ થાય છે.
(૩) જ્યારે ચિત્ત ફક્ત શુભ વિષયને જ આલંબીને રહેલું હોય છે, અને તેથી તે સ્થિર દીપક જેવું પ્રકાશમાન હઈ સૂક્ષ્મ બોધવાળું બની જાય છે ત્યારે તે ધ્યાન કહેવાય છે. ધ્યાનથી દરેક કામમાં ચિત્ત આત્માધીન થઈ જાય છે, ભાવ નિશ્ચલ થાય છે અને બંધનોને વિચ્છેદ થાય છે.
૧. જુઓ યોગબિંદુ.
Jain Education International
FO
For Private & Personal Use Only
www.jainelibrary.org