Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai
View full book text
________________
આધ્યાત્મિક વિકાસક્રમ
જ નથી.
(૧૩) જે અવસ્થામાં માહના આત્યંતિક અભાવને લીધે વીતરાગ દશા પ્રગટવા સાથે સનપણું પ્રાપ્ત થાય છે, તે અવસ્થા સયેાગગુણુસ્થાન. આ ગુણસ્થાનમાં શારીરિક, માનસિક અને વાકિ વ્યાપાર ાય છે. એથી આને જીવન્મુક્તિ કહી શકાય.
(૧૪) જે અવસ્થામાં શારીરિક, માનસિક, વાચિક પ્રવૃત્તિને પણ અભાવ થઈ જાય છે તે અયે ગગુણસ્થાન. આ ગુણસ્થાન છેલ્લું છે. તેથી શરીરપાત થતાં જ તેની સમાપ્તિ થાય છે અને ત્યાર બાદ ગુણસ્થાનાતીત વિદેહમુક્તિ પ્રાપ્ત થાય છે. ૧
પ્રથમ ગુણસ્થાન એ વિકાસકાળ છે. બીજા અને ત્રીજા એ એ ગુણસ્થાનમાં વિકાસનું સહજ સ્ફુરણુ હોય છે, પણ તેમાં પ્રબળતા અવિકાસની જ હોય છે. ચોથાથી વિકાસ ક્રમશઃ વધતાં વધતાં તે છેવટે ચૌદમા ગુરુસ્થાને પૂર્ણ કલાએ પહોંચે છે અને ત્યાર બાદ મેાક્ષ પ્રાપ્ત થાય છે. જૈન વિચારસરણીનું પૃથક્કરણ એટલું જ કરી શકાય કે પહેલાં ત્રણ ગુણસ્થાના એ અવિકાસકાળ છે અને ચોથાથી ચૌદમા સુધીનાં ગુણસ્થાને વિકાસ અને તેની વૃદ્ધિને કાળ છે; ત્યારબાદ મેક્ષિકાળ છે.
શ્રી હરિભદ્રસૂરિએ બીજી રીતે વર્ણવેલ વિકાસક્રમા
આ પ્રાચીન જૈન વિચારને હરિભદ્રસૂરિએ ખીજી રીતે પણ વણુ વ્યા છે. તેઓના વનમાં બે પ્રકાર છે.
આઠ દૃષ્ટિના પહેલા પ્રકાર
પહેલા પ્રકારમાં અવિકાસ અને વિકાસક્રમ બન્નેને સમાવેશ
૧. જુએ કમ ગ્રંથ બીનની મારી પ્રસ્તાવના તથા વ્યાખ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org