Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai
View full book text
________________
પૂર્વ ભૂમિકા
૨૧
ધર્માંમાં ચારિત્ર ઉપર જ પસંદગીનું ધારણ હોવાથી તેમાં જાતિ, લિંગ, ઉમર, ભેખ, ચિહ્નો, ભાષા અને ખીજી તેવી બહારની વસ્તુઓને સ્થાન જ નથી, જ્યારે પંથમાં એ જ બાહ્ય વસ્તુને સ્થાન હોય છે. અને એની મુખ્યતામાં ચારિત્ર ખાઈ જાય છે. ઘણીવાર તે લેાકેામાં જેની પ્રતિષ્ઠા ન હોય એવી જાતિ, એવુ લિંગ, એવી ઉમર કે એવા વેશ કે ચિહ્નવાળામાં જો ખાસું ચારિત્ર હોય તાપણુ પથમાં પડેલ માણસ તેને લક્ષમાં લેતે જ નથી અને ઘણીવાર તેા તેવાને તરાડી પણ કાઢે છે.
ધર્માંમાં વિશ્વ એ એક જ ચેાકા છે. તેમાં ખીજા કાઈ નાના ચેાકા ન હેાવાથી આભડછેટ જેવી વસ્તુ જ નથી હ।તી અને હાય છે તે એટલું જ કે તેમાં પેાતાનું પાપ જ માત્ર આભડછેટ લાગે છે, જ્યારે પથમાં ચેાકાત્તિ એવી હોય છે કે જ્યાં દેખા ત્યાં આભડછેટની ગંધ આવે છે અને તેમ છતાં ચેકાવૃત્તિનું નાક પાતાના પાપની દુર્ગંધ સુઘી શકતું જ નથી! તેને તે માનેલું એ જ સુવાસવાળુ અને પોતે ચાલતા હોય તે જ રસ્તા શ્રેષ્ઠ લાગે છે, અને તેથી તે ખીજે બધે બા અને બીજામાં પેાતાના પંથ કરતાં ઊતરતાપણું અનુભવે છે.
ટૂંકમાં કહીએ તો, ધમ માણસને રાતદિવસ પેશ્વાતા ભેદસંસ્કારામાંથી અભેદ તરફ ધકેલે છે અને પથ એ પોષાતા ભેદમાં વધારે અને વધારે ઉમેરા કરે છે, અને કયારેક દૈવયેાગે અભેદની તક કાઈ આણે તે તેમાં તેને સંતાપ થાય છે. ધર્માંમાં દુન્યવી નાની-મેટી તકરારા ( જર, જોરુ, જમીનના અને નાનમ-મોટપના ઝઘડા ) પણ શમી જાય છે, જ્યારે પંથમાં ધર્મને નામે જ અને ધની ભાવના ઉપર જ તકરારા ઊગી નીકળે છે. એમાં ઝધડા વિના ધર્મની રક્ષા જ નથી દેખાતી.
પંથેા હતા, છે અને રહેશે, પણ તેમાં સુધારવા જેવું કે કરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org